બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ફેશન અને સૌંદર્ય / 4 mistakes after eating meals as they cause stomach problems and weight gain
Bijal Vyas
Last Updated: 01:49 PM, 11 September 2023
Upset Stomach Causes: જો ભોજનથી જોડાયેલી થોડી પણ ભૂલ થઈ જાય તો તે પેટના સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. આ ભૂલો માત્ર પેટ પર જ નહીં વજન પર પણ અસર કરે છે. અપચો, પેટ ફૂલવું, એસિડિટી, પેટમાં દુખાવો, ઉબકા, ગેસ બનવો અથવા પેટ વધવું જેવી કેટલીક સમસ્યાઓ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને ખાવાની ભૂલોને કારણે વધે છે. આવી સ્થિતિમાં, જાણો ક્યા કાર્યો ન કરવા જોઈએ અથવા ખોરાક ખાધા પછી તરત જ કયા કાર્યો કરવાના ટાળવા જોઈએ.
ભોજન બાદ અમુક કાર્યો કરવાના ટાળવા જોઇએ
વધુ પડતુ પાણી પીવુ
જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખોરાક ખાધા પછી જરૂરિયાત કરતા વધુ પાણી પીવે છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને પાચન તંત્ર માટે ખોરાકને તોડવામાં અથવા પેટના એસિડને પાતળું કરવું મુશ્કેલ બને છે. તેથી, ખોરાક ખાધા પછી હાઇડ્રેશન માટે જરૂરી હોય તેટલું પાણી પીવો. ખોરાક ખાધાના અડધા કલાક પછી વધુ પાણી પી શકાય છે.
એક્સરસાઇઝ કરવી
એક્સરસાઇઝ કરવી સારી આદત છે પરંતુ ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ ના કરવી જોઇએ. જો ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ કરવામાં આવે તો બ્લડ ફ્લૂની અસર થાય છે, પાચનતંત્ર પ્રભાવિત થાય છે અને પેટમાં દુખાવો પણ શરૂ થાય છે. એટલા માટે ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન તમે હળવું વૉકિંગ કરી શકો છો.
સુઇ જવુ
જો તમે ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જાઓ છો, તો શક્યતા છે કે, તમને પેટમાં દુખાવો શરૂ થઈ શકે છે. આનું કારણ એ છે કે, નીચે સૂવાથી પેટ દબાય છે અને પાચનતંત્રને અસર કરે છે અને તેનાથી હાર્ટબર્ન અને એસિડિટી થઈ શકે છે. જેના કારણે વજનમાં પણ વધારો જોવા મળે છે. તેથી એવું કહેવાય છે કે છેલ્લું ભોજન એટલે કે ડિનર સૂવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં કરી લેવું જોઈએ.
કેફીનનું સેવન
જ્યારે દિવસ દરમિયાન તમે ચા કે કોફી પીતા હોવ ત્યારે તેની વધારે અસર થતી નથી, પરંતુ જો તમે ખોરાક ખાધા પછી તરત જ કેફીનનું સેવન કરો છો તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. આ સિવાય જમ્યા પછી તરત જ કેફીનનું સેવન કરવાથી પોષક તત્વો શરીરમાં યોગ્ય રીતે એબ્ઝોર્વ કરી શકતા નથી.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime