બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી, સુરત મનપા કમિશનર બદલાયા
Last Updated: 11:15 PM, 22 January 2026
રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓ હેઠળ સુરત મહાનગરપાલિકાના કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT

સુરત મનપાના હાલના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરવામાં આવી છે. તેમને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (GUVNL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શાલિની અગ્રવાલે સુરત શહેરમાં તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસાત્મક અને વહીવટી નિર્ણયો લીધા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માવઠાની આગાહી વચ્ચે મહેસાણામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
તેની સાથે જ GSRTCના મેનેજિંગ ડિરેક્ટર એમ. નાગરાજનની પણ બદલી કરવામાં આવી છે. એમ. નાગરાજનને હવે સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી ક્ષેત્રે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત IAS અધિકારી રાજેન્દ્રકુમારને GSRTCના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યાં સુધી નવી નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.