બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Pravin
Last Updated: 10:36 AM, 19 July 2022
પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે. હોડીમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ રહ્યા હતા. અધિકારીઓએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું કે, જાનમાં જઈ રહેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે. તેમણે જણાવ્યું છે કે, હોડીમાં લગભગ 100 લોકો સવાર હતા. આ લોકો રહીમ યાર ખાનની નજીક 65 કિમી દૂર મચ્છકાના એક કબીલાના રહેવાસી હતા.
19 મૃતદેહ મળી આવ્યા
રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશનર સૈયદ મૂસા રજાએ મીડિયાને જણાવ્યું છે કે, રેસ્ક્યૂ ઓપરેશનમાં તરવૈયાઓ અને પાંચ એમ્બ્યુલન્સ અને એક જળ બચાવ વાન સહિત 30 કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં 19 મૃતદેહ મળી આવ્યા છે અને આ તમામ મહિલાઓ છે. અને બાકીના લોકોની પણ શોધ કરી રહ્યા છીએ.
رحیم یار خان کے قریب دریائے سندھ میں کشتی اُلٹنے کے حادثے کے نتیجے میں 19 قیمتی جانوں کے ضیاع پر دکھی اور رنجیدہ ہوں. اللہ تعالی سے دعا ہے کہ وہ مرحومین کو اپنے جوارِ رحمت میں جگہ دے اور متاثرہ خاندانوں کو صبرِ جمیل عطا فرمائے.
— Shehbaz Sharif (@CMShehbaz) July 18, 2022
મરનારા લોકોની સંખ્યા હજૂ પણ વધશે
રજાએ કહ્યું કે, ઓવરલોડિંગ અને પાણીના તેજ વહેણના કારણે હોડી પલ્ટી ગઈ. તેમણે કહ્યું કે, કેટલાય અન્ય લોકો પણ હજૂ ગુમ છે. તેમણે કહ્યું કે, આ ઘટના ત્યારે થઈ જ્યારે આ લોકો લગ્ન સમારંભ બાદ રાજનપુરથી મચ્છા પાછી આવી રહ્યા છે. રજાએ કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. તો વળી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સંવેદના જતાવી છે. શરીફે ટ્વિટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સ્થાનિક લોકોએ લગભગ 35 લોકોના જીવ બચાવ્યા
આપને જણાવી દઈએ કે, પોલીસે મીડિયાને જણાવ્યું છે કે, સ્થાનિક લોકોએ લગભગ 35 લોકોને બચાવ્યા છે. બાકીના ગુમ લોકોની શોધ હજૂ ચાલું છે. અહીં ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડીયે પંજાબના પ્રાંતિય ડિઝાસ્ટર મેનેજમેન્ટે 15થી 17 જૂલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરીને પાણીમાં ન જવાની અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime