બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જયંત પાટિલે મીડિયાને જણાવ્યું છે કે 'ભાજપના 10થી વધારે ધારાસભ્યો અસંતુષ્ટ છે. તેઓ પાર્ટીની વ્યવસ્થાથી પરેશાન છે. પાર્ટીના નારાજ ધારાસભ્યોએ આ અંગે ઘણી વખત અમારી પાસે રજૂઆત કરી છે. જેને લઇને ભવિષ્યમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.'
જળ સંસાધન મંત્રી પાટિલે જનસુરાજ્ય પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યને NCPમાં સમાવેશ કર્યા બાદ આ અંગે જણાવ્યું હતું. હાલના દિવસોમાં ભાજપના કદાવર નેતા એકનાથ ખડસે અને જયસિંહ ગાયકવાડે ભગવો રંગ છોડી દીધો હતો અને NCPમાં સામેલ થયા હતા.
ADVERTISEMENT
બીજી તરફ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે NCPને પશ્ચિમી મહારાષ્ટ્રમાં પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. ત્યાં પાર્ટીનો પ્રભાવ છે. ત્યારબાદ અજીત પવારે કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો વિપક્ષનો કોઇપણ ધારાસભ્ય રાજીનામું આપી NCP, શિવસેના કે કોંગ્રેસમાં સામેલ થાય છે તો અન્ય બે પાર્ટી, ભાજપ સામે તેમના ઉમેદવારને સમર્થન કરશે.
અજિત પવારે કહ્યું આ સ્વભાવિક છે કે ભાજપ રાજીનામું આપી બીજી પાર્ટીઓમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઉતારે. એવામાં MVAના બે સંઘટક ચૂંટણીમાં એ ઉમેદવારને મદદ કરશે. તેના માટે પ્રચાર કરશે. પવારે આગળ જણાવ્યું કે જ્યારે તીન મહા વિકાસ અઘાડીના ત્રણ પક્ષ એકસાથે આવે છે તો રાજીનામું આપનાર ધારાસભ્ય બીજી વખત જીતવામાં કોઇ પરેશાની ન રહે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 288વાળી મહારાષ્ટ્રમાં MVAના 169 ધારાસભ્યો છે. જેમાં શિવસેનાના 57, NCPના 53 અને કોંગ્રેસના 44 જ્યારે અન્ય દળના 15 ધારાસભ્યો છે. વિપક્ષી દળ NDAમાં 114 સભ્ય છે. જેમાં સૌથી વધારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.