1.વીરપુરનું જલારામ મંંદિર 6 દિવસ બંધ
- અન્નક્ષેત્ર પણ 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
- જન્માષ્ટમીના તહેવારને લઈ ભક્તો માટે મંદિર બંધ રહેશે
- તહેવારને લઈને સંક્રમણના ફેલાય તે માટે ગાદીપતિ દ્વારા લેવાયો નિર્ણય
- 2 સપ્ટેમ્બરથી ભક્તો જલારામ મંદિરમાં દર્શન કરી શકશે
2. કોરોના કાળમાં રેલવેને સૌથી વધુ નુકસાન
- રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનો દાવો
- કોરોનાકાળમાં રેલવેને 36 હજાર કરોડનું નુકસાન: દાનવે
- પેસેન્જર ટ્રેન ખંડ હંમેશા ખોટમાં ચાલે છે: દાનવે
- માત્ર માલગાડીઓ જ રાજસ્વ ઉત્પન્ન કરે છે: દાનવે
- મહારાષ્ટ્રના જાલનામાં યોજાયેલા કાર્યક્રમમાં આપ્યુ નિવેદન
3. કેન્દ્રિયમંત્રી રૂપાલા અને ધાનાણીના એકબીજા પર પ્રહારો
- કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોરોના વોરિયર્સની માફી માગી
- અમરેલી મેડિકલ કોલેજના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ માંગી માફી
- કોરોનાકાળમાં દર્દીઓના પરિજનોએ અપમાન કર્યું હશેઃ રૂપાલા
- કોરોના વોરિયર્સ અઘરા સમયમાંથી પસાર થયાઃ રૂપાલા
- લોકોએ કહ્યું હશે કે ખાટલો નથી, બાટલો નથીઃ રૂપાલા
- કોરોના વોરિયર્સને બીજા લોકો પણ ઘણુ બોલ્યા હશેઃ રૂપાલા
- સ્વજન પીડાતુ હોવાથી લોકોએ ઘણું કહ્યું હશેઃ રૂપાલા
- હું મેડિકલ કોલેજ પરિસરમાંથી કોરોના વોરિયર્સની માંગી માફી માગુ છું
- હું તમામ લોકો તરફથી માફી માંગુ છું: રૂપાલા
- વિપક્ષ પણ સરકારને ફસાવવાના તીવ્ર મૂડમાં હતું: રૂપાલા
- વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર
- કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો વીડિયો કર્યો પોસ્ટ
- કોરોનાની બીજી લહેરની સ્થિતિને લઇ કર્યો પોસ્ટ
- માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરોઃ ધાનાણી
- લોખંડ ઓગળી જાય પણ ભાજપનો અંહકાર ન પીગળેઃ ધાનાણી
- સેવા ના કરી શકે તેવી સરકારને સત્તામાં બેસવાનો અધિકાર નથી
4. વડોદરામાં જળસંકંટ ઉભુ થઇ શકે છે
- આજવા સરોવરની જળ સપાટી સતત ઘટતાં જળ સંકટ ઉભુ થયું
- આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં અપાય છે પાણી
- હાલમાં આજવા સરોવરમાં પાણીનું લેવલ છે 206.30 ફૂટ
- સરકાર વડોદરાને નર્મદામાંથી ફ્રીમાં પાણી આપે તેવી રજૂઆત કરી
- વડોદરામાં રોજ 550 એમ.એલ.ડીની પાણીની છે જરૂરિયાત
- ઓગસ્ટમાં 210-211 ફૂટ લેવલ પાણી હોય છે, અંતમાં 212 હોય છે
- આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો જનતાને થશે મુશ્કેલી
- આજવા સરોવરમાં પાણીનું લેવલ 205 ફૂટ જશે તો મુશ્કેલી પડશે
- શહેરીજનોને પાણીકાપનો કરવો પડે સામનો
5. અમદાવાદમાં વાસણ વેચતી મહિલાને કારે અડફેટે લીધી
- સરસપુર શારદાબેન હોસ્પિટલ સર્કલ નજીકની ઘટના
- બેફામ બોલેરો ચાલકે શાકમાર્કેટમાં ઘૂસીને સર્જયો અકસ્માત
- અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે કરૂણ મોત
- અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ
- અકસ્માતના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ