1. અફઘાનિસ્તાનની સ્થિતી માટે પાક. જવાબદાર હોવાનો આક્ષેપ
- અફઘાની પોપ સ્ટાર આર્યના સઇદના પાક. સામે આક્ષેપ
- તાલિબાન પરિસ્થિતી પાછળ પાકિસ્તાન જવાબદાર: આર્યના
- તાલિબાનીઓને પાકિસ્તાન તરફથી નિર્દેશ મળે છે: આર્યના
- તાલિબાનના ઠેકાણા પાકિસ્તાનમાં છે: આર્યના
- તાલિબાનને પાકિસ્તાનમાં પ્રશિક્ષણ અપાઇ રહ્યું છે: આર્યના
- આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાક.ને ફંડ નહીં આપે: આર્યના
- અફઘાનમાં પકડાયેલા તાલિબાનીઓ પાસે પાક.ની ID મળે છે: આર્યના
2. આજે અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે મહત્વની બેઠક
- અફઘાન સંકટ વચ્ચે આજે BRICS દેશોની બેઠક
- BRICS દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક
- ભારતના NSA અજીત ડોભાલ કરશે બેઠકની અધ્યક્ષતા
- સાંજે 5 વાગ્યે યોજાશે BRICS દેશોના NSAની બેઠક
3. ADRના રિપોર્ટમાં માટો ખુલાસો
- દેશના 363 જનપ્રતિનિધિ વિરુદ્ધ ફોજદારી કેસ
- 363 વિરુદ્ધ કોર્ટે આરોપ કર્યા છે નક્કી
- 296 ધારાસભ્ય અને 67 સાંસદ વિરુદ્ધ છે કેસ
- દોષી સાબિત થાય તો અયોગ્ય ઠેરવી શકાય
- ભાજપના સૌથી વધુ 83 ધારાસભ્ય અને સાંસદ
- કોંગ્રેસના 47, TMCના 25 ધારાસભ્ય, સાંસદ છે
- 24 લોકસભાના સભ્યો વિરુદ્ધ 43 ફોજદારી કેસ પેન્ડિંગ
- વર્તમાન 111 ધારાસભ્ય વિરુદ્ધ 315 ફોજદારી કેસ પેન્ડિંગ
- કેટલાક નેતાઓ વિરુદ્ધ 10થી વધુ વર્ષથી કેસ છે પેન્ડિંગ
4. ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ની ચૂંટણી ટળી
- પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરર બિનહરીફ વરણી કરાઇ
- રાજ્યના 23 હજાર કેમિસ્ટના સંગઠનના નવા હોદ્દેદારો
- પ્રમુખ તરીકે અમદાવાદ ઝોનના જશુભાઇ પટેલ ચૂંટાયા
- સૌરાષ્ટ્ર ઝોનના ઉમેદવાર મયૂર સિંહ જાડેજાએ ફોર્મ પરત ખેંચ્યુ
- મયૂર સિંહ જાડેજાએ ફોર્મ પરત ખેંચતા જશુ પટેલ બિનહરીફ
- ગેરકાયદેસર ઓનલાઇન વેપાર સામે કેમિસ્ટને ટકાવી રાખવા ધ્યેય
- ચેઈન સ્ટોર્સ સામે સંગઠનની શક્તિ વધારવા પ્રયાસો થશે
- અધિકારીઓની દાદાગીરી નહીં ચલાવી લેવાય-જશુભાઇ પટેલ
5. ગુજરાતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા
- વિવિધ શહેરોમાં શિક્ષક સજ્જતા કસોટીનો વિરોધ
- વડોદરા શિક્ષણ સમિતિના 900 શિક્ષકો નહી આપે પરીક્ષા
- આજે 2 વાગ્યે યોજાવાની હતી શિક્ષક સજ્જતા કસોટી
- શિક્ષક સંઘે પરીક્ષા ન આપવાની કરી છે જાહેરાત
- અમે તમામ પરીક્ષાઓ આપીને નોકરીમાં આવ્યા છીએ-શિક્ષક સંઘ
- શિક્ષકોની સજ્જતાની અવારનવાર કસોટી થતી જ હોય છે-શિક્ષક સંઘ
- જીસીઆરટીમાં અવારનવાર તાલિમ આપવામા આવે છે-શિક્ષક સંઘ
- સુરત શહેરમાં પરીક્ષાનો બહિષ્કાર કરાયો
- સુરતમાં 4000 શિક્ષકો પરીક્ષાનો બહિષ્કાર
- સુરતમાં પરીક્ષા માટે 44 સેન્ટરો તૈયાર
- તમામ સેન્ટરો ખાલીખમ રહેશે તેવી સંઘની ચીમકી
- અમદાવાદ, વડોદરા, સુરતમાં પરીક્ષા સેન્ટર ખાલી
- શિક્ષકો સજ્જતા સર્વેક્ષણ કસોટીને પોતાનું અપમાન ગણાવે છે
- રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ માને છે કે પરીક્ષા આપવામાં વાંધો નથી
- સરકારે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા મરજિયાત છે એટલે વિરોધ ન હોવો જોઈએ
- અમદાવાદમાં શૈક્ષિક મહાસંઘ પરીક્ષા ન આપવા મક્કમ, સેન્ટરો જોવા મળ્યા ખાલીખમ
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો વકર્યો વિવાદસુરતમાં 4 હજાર શિક્ષકોએ પરીક્ષાનો કરાયો બહિષ્કાર