બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...
1.સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની વર્ષો જૂની સમસ્યા થઈ હલ
સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની વર્ષો જૂની પાણીની સમસ્યાનો હલ થઈ ગયો છે.વીરપુરના લોકો દ્વારા વર્ષોથી ભાદર-1 ડેમમાંથી વીરપુર માટે સ્વતંત્ર પાણી આપવામાં આવે તેવી માગ કરવામાં આવતી હતી.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભાદર-1થી વીરપુર માટેની જૂથ પાણી પૂરવઠા યોજનાની પાણીની લાઈન મંજૂર કરવામાં આવી છે.આ યોજના માટેનું રૂ.7 કરોડનું ટેન્ડર પણ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે યાત્રાધામ વીરપુરમાં દુનિયાભરમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે પાણીની ખુબજ સમસ્યા સામે આવતી હતી હવે આ પાણીની લાઈન નાખવામાં આવશે એટલે વીરપુરની વર્ષો જૂની સમસ્યાનો હલ થશે.
2.દારૂબંધીને પડકારતી અરજી મુદ્દે હાઈકોર્ટનો હુકમ
એડવોકેટ જનરલના પ્રાથમિક વાંધાને હાઈકોર્ટે ફગાવ્યો
દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં થઈ શકે છે : હાઈકોર્ટ
રાઈટ ટુ પ્રાઈવસીના આધારે દારૂબંધીને પડકારતી અરજીઓ HCમાં ટકી શકે
એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઈકોર્ટે ફગાવ્યો
AGએ કહ્યું હતું, આ અરજી સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય
વ્યકિત પોતાના ઘરમાં શું ખાઈ, પી શકે તેનો અંકુશ સરકાર ન રાખી શકે: અરજદાર
3.જાતિગત જનગણના મુદ્દે નીતિશ કુમાર સાથે 11 પક્ષોએ કરી PM સાથે મુલાકાત
PM સાથે મુલાકાત બાદ બિહારના CM નીતિશ કુમારનું નિવેદન
જાતિગત ગણતરીના પક્ષમાં સમગ્ર બાબતો PM સામે મુકી-નીતિશ કુમાર
PM મોદીએ અમારી વાત ધ્યાનથી સાંભળી-નીતિશ કુમાર
જાતિગત વસ્તીગણતરીથી સાચી સ્થિતિ સામે આવી શકશે-નીતિશ કુમાર
જાતિગત ગણતરીના આધારે યોજનાઓ સારી રીતે બની શકશે-તેજસ્વી યાદવ
જાતિગત વસ્તીગણતરી થાય તે જરૂરી-તેજસ્વી
તમામ રાજકીયપક્ષોએ જાતિગત વસ્તીગણતરી કરવા માટે અપીલ કરી-તેજસ્વી યાદવ