બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'સ્વર્ગનો દરવાજો ખુલી ગયો, એ મરી જાય તો સારુ' યુક્રેન પ્રેસિડન્ટે માગી પુતિનના મોતની દુઆ
Last Updated: 04:12 AM, 26 December 2025
ક્રિસમસના અવસરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ દેશને સંબોધન કરતા એક ભાવુક અને કડક સંદેશો આપ્યો, જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. યુદ્ધથી થાકેલા યુક્રેનના નાગરિકોને હિંમત આપવાનો પ્રયાસ કરતા ઝેલેન્સ્કીએ આ વીડિયો સંદેશમાં ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી, પરંતુ સાથે જ રશિયા સામે પોતાના આક્રોશ અને દુઃખને ખુલ્લેઆમ વ્યક્ત કર્યું.
ADVERTISEMENT
ક્રિસમસની પૂર્વ સંધ્યાએ સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા આ વિડિયોમાં ઝેલેન્સ્કીએ રશિયન હુમલાઓની કડક નિંદા કરી. તેમણે કહ્યું કે રશિયાએ ફરી એકવાર બતાવી દીધું છે કે તે ખરેખર શું છે. તેમના જણાવ્યા અનુસાર, તહેવારની આ પવિત્ર ઘડીઓમાં પણ યુક્રેન પર બોમ્બમારી કરવામાં આવી, જેમાં ઓછામાં ઓછા ત્રણ નાગરિકોના મોત થયા. ઝેલેન્સ્કીના શબ્દોમાં, રશિયા યુક્રેનને અનેક પીડા આપી શકે છે, પરંતુ તે યુક્રેનિયન લોકોના દિલ, તેમની એકતા અને પરસ્પર વિશ્વાસને ક્યારેય જીતી શકશે નહીં.
Merry Christmas! pic.twitter.com/okj9Yr1bFe
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 24, 2025
ADVERTISEMENT
આ સંદેશમાં એક એવો ભાગ પણ હતો, જેણે ભારે વિવાદ ઉભો કર્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું નામ લીધા વિના ઝેલેન્સ્કીએ કહ્યું કે આજે યુક્રેનના દરેક નાગરિકનું એક જ સ્વપ્ન છે અને એક જ ઇચ્છા છે, તેનો નાશ થવો જોઈએ. આ નિવેદનને લઈને અનેક લોકોએ અર્થઘટન કર્યું કે ઝેલેન્સ્કી સાંતા ક્લોઝથી પુતિનની મૃત્યુની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, તરત જ તેમણે ઉમેર્યું કે જ્યારે તેઓ ભગવાન તરફ વળે છે, ત્યારે તેઓ કોઈ વ્યક્તિના અંતની નહીં, પરંતુ યુક્રેન માટે શાંતિની માંગ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, યુક્રેન શાંતિ માટે લડી રહ્યું છે, પ્રાર્થના કરી રહ્યું છે અને તે શાંતિનો હકદાર છે.
ઝેલેન્સ્કીનો આ સંદેશ માત્ર ભાવનાત્મક નહીં પરંતુ રાજકીય સંકેતો પણ આપતો હતો. તેમણે તાજેતરમાં પત્રકારો સાથેની બ્રીફિંગ દરમિયાન અમેરિકા સાથે મળીને તૈયાર કરાયેલી 20 મુદ્દાની શાંતિ યોજના વિશે પણ વાત કરી હતી. આ યોજના મુજબ, યુદ્ધ સમાપ્ત કરવા માટે યુક્રેન પોતાના પૂર્વી વિસ્તારોમાંથી સૈનિકોને પાછા બોલાવવા તૈયાર છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલું ત્યારે જ શક્ય બનશે જ્યારે રશિયા પણ પોતાની સેના પાછી ખેંચે.
ADVERTISEMENT
વધુ વાંચો : PM મોદીએ દીન દયાળ, શ્યામા પ્રસાદ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું
ક્રિસમસ જેવા તહેવાર પર આવો કડક અને ભાવનાત્મક સંદેશ આવવાથી વિશ્વભરમાં પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો ઝેલેન્સ્કીના શબ્દોને યુદ્ધની પીડાથી ઉપજેલા ગુસ્સા તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક તેને એક પ્રતીકાત્મક અભિવ્યક્તિ ગણાવી રહ્યા છે. એક વાત ચોક્કસ છે કે યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનો આ ક્રિસમસ સંદેશ માત્ર શુભેચ્છા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તેણે યુદ્ધની કડવી હકીકત અને શાંતિની તીવ્ર ઇચ્છાને ફરી એકવાર દુનિયા સામે મૂકી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.