કોરોના વધતા જતાં મામલાના કારણે શેર બજાર પર ખુબ મોટી અસર પડી છે. અને જ્યારે યસ બેંકની ઘટના પણ રોકાણકારોને હેરાન કરી રહી છે. પરંતુ આજે યસ બેંકનો શેર જ એવો દેખાઈ છે જે રોકાણકારનો ડર થોડો દુર કરી શકે છે. અને શેરમાં આજે જંગી વધારો થયો છે.
યસ બેંકનો શેરમાં જંગી ઉછાળો
બજારમાં શેરનો ભાવ આટલો બધો વધતા સનસની
3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં
યસ બેંકના શેરમાં મોટો ઉછાળો
યસ બેંક ગત દિવસોમાં સંકટમાં જોવા મળી હતી અને યસ બેંકનો 16.60 રૂપિયાએ પહોચી ગયો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં યસ બેંકના શેરમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. અને અત્યારે શેર 59.50 પૈસાએ પહોચી ગયો છે. જો કે ગઈ કાલે 37.10 રૂપિયાએ બજાર બંધ થયું હતું અને આ આજે યસ બેંકના શેરના ભાવમાં 59% વધારો જોવા મળી રહ્યો છે.
યસ બેન્કના શૅરમાં 58 ટકા સુધીનો ઉછાળો
સરકારે પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક (Yes Bank) ના પુનર્ગઠન (Reconstruction Scheme) ની સૂચના જારી કરી દેવાઇ છે. આ અનુસાર યસ બેન્કના શૅર હોલ્ડર્સ 3 વર્ષ સુધી પોતાના શૅર વેચી શકશે નહીં. જ્યારે કોરોના વાયરસના સંક્રમણ વધવાના ડર સાથે ભારતીય બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જોકે, યસ બેન્કના શૅરમાં 58 ટકા સુધીનો ઉછાળ જોવા મળી રહ્યો છે.
3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં
પુનર્ગઠનમાં એ શરત રાખવામાં આવી છે કે જો તમે યસ બેન્કના 100થી વધારે શૅર ખરીદ્યા છે તો તેમાંથી 75 ટકા ભાગીદારીને 3 વર્ષ માટે લૉક ઇન કરી દેવામાં આવશે, એટલે કે 3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં.
જોકે, કોઇ રોકાણકાર (Investor) પાસે 100થી ઓછા શૅર છે તો પોતાના પૂર્ણ શૅર વેચી શકશે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં પહેલીવાર આમ પગલુ લેવાયું છે. તેના પગલે 16.18 લાખ શૅર હોલ્ડર્સને નુકશાન ઉઠાવવું પડી શકે છે. તેમાંથી ઘણા લોકો એવા છે જેમની પાસે 100થી વધારે શૅર હોલ્ડર હોઇ શકે છે.