બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / બદલાઇ ગયા વિઝાને લગતા નિયમો, જાણો ભારતીયોને શું અસર થશે?

NRI / બદલાઇ ગયા વિઝાને લગતા નિયમો, જાણો ભારતીયોને શું અસર થશે?

Last Updated: 01:41 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ દેશમાં અચાનક વિઝાના નિયમોમાં બદલાવ આવ્યો છે. જાણો કયો છે તે દેશ અને નિયમોમાં શું બદલાવ આવ્યો છે?

બ્રિટને 22 જુલાઈ 2025 થી તેના ઇમિગ્રેશન નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે, જે ભારત, ચીન અને અન્ય ઘણા દેશના લોકોને અસર કરી શકે છે. આ ફેરફાર બ્રિટનની લેબર પાર્ટી સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે,જેનો ઉદ્દેશ્ય બહારથી આવતા અને દેશ છોડીને જતા લોકો વચ્ચેનો સ્થળાંતરનો તફાવત ઘટાડવાનો અને સ્થાનિક લોકોને વધુ નોકરીઓ આપવાનો છે. આ નિયમથી ઇમિગ્રેશન સિસ્ટમ પર કડક નિયંત્રણ આવશે.

આ નવાં નિયમો ભારત અને ચીન સહિત ઘણા દેશના વિદ્યાર્થીઓ અને નોકરી કરતાં લોકો માટે પડકાર લાવશે. જાણી લો કે આ નવાં નિયમો શું છે અને તેની શું અસર થશે?

શું છે નવા નિયમો?

યુકેના ગૃહ મંત્રાલયે 82 પાનાના સફેદ કાગળમાં આ ફેરફારોને વિગતવાર સમજાવ્યા છે. આ ફેરફારોમાં મુખ્યત્વે સ્કિલ્ડ વર્કર વિઝા, સ્ટુડન્ટ વિઝા અને સેટલમેન્ટ જેવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને બદલાવ કરવામાં આવ્યો છે. ચાલો વિગતવાર જાણીએ.

uk-viza

સ્કિલ્ડ વર્કર વિઝામાં બદલાવ

હવે સ્કિલ્ડ વર્કર વિઝા માટે નોકરીનું સ્તર RQF સ્તર 6 હોવું જોઈએ, એટલે કે સ્નાતક સ્તર. પહેલા તે RQF સ્તર 3 એટલે કે 12મા ધોરણની સમકક્ષ હતું. આનો અર્થ એ થયો કે હવે ફક્ત તે લોકો જ વિઝા મેળવી શકશે જેમની પાસે સ્નાતક સ્તરની ડિગ્રી વાળી નોકરી હશે.આ કારણે, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને કેર જેવા ક્ષેત્રોમાં લગભગ 180 નોકરીઓ વિઝાના કાર્યક્ષેત્રની બહાર થઈ જશે. આ નિયમથી ભારત અને ચીનથી આવતા લોકોને હવે વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.

કેર વર્કર વિઝા પર પ્રતિબંધ

બ્રિટને વિદેશથી નર્સિંગ આસિસ્ટન્ટ જેવા કાર્યકરોની ભરતી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ ફેરફારો 22 જુલાઈ 2025થી અમલમાં આવ્યા છે. જો કે, જે લોકો પહેલાથી જ આ વિઝા પર કામ કરી રહ્યા છે, તેમના માટે 2028 સુધી ટ્રાંઝિશન પિરિયડ રહેશે, જેનો અર્થ એ થાય છે કે તેઓ તેમના વિઝા રિન્યુ કરી શકશે. આ ક્ષેત્રમાં નવા લોકોને વિઝા મળી શકશે નહીં. ભારતના કેરળ અને પંજાબમાંથી મોટી સંખ્યામાં લોકો આ ક્ષેત્રમાં કામ કરવા જતાં હતાં. આ રસ્તો હવે તેમના માટે બંધ થઈ જશે .

અંગ્રેજી ભાષાના કડક નિયમો

તમામ વિઝા માટે માટે હવે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત રહેશે. મુખ્ય અરજદાર CEFR B2 પર પહેલાથી જ અંગ્રેજી બોલતા અને સમજતા હોવા જોઈએ, જ્યારે આશ્રિતોએ મૂળભૂત સ્તર (A1) પાસ કરવું આવશ્યક છે. વિઝા રિન્યુઅલ માટે A2 લેવલ અને સેટલમેન્ટ માટે B2 લેવલ જરૂરી રહેશે. ભારત અને ચીન જેવા દેશના લોકો માટે આ એક પડકારરૂપ પરિસ્થિતિ છે. ખાસ એ લોકો માટે જેમનું અંગ્રેજી નબળું છે.

uk-visa

સેટલમેન્ટનો સમય થયો બમણો

અગાઉ, બ્રિટનમાં 5 વર્ષ રહ્યા પછી, લોકો ILR એટલે કે કાયમી નિવાસ માટે અરજી કરી શકતા હતા. હવે આ સમય વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. જોકે, ડોકટર, નર્સ, એન્જિનિયર અથવા AI નિષ્ણાતો જેવી પોસ્ટ ધરાવતા લોકો, જેમનું અર્થતંત્ર અથવા સમાજમાં યોગદાન વધુ હશે, તેઓ ઓછા સમયમાં સેટલમેન્ટ મેળવી શકે છે. આ છૂટ કોને મળશે તે પાછળથી નક્કી કરવામાં આવશે. લાંબા સમયથી બ્રિટનમાં સ્થાયી થવાનું સ્વપ્ન જોતા ભારતીય અને ચીની ઇમિગ્રન્ટ્સ માટે આ એક મોટો ઝાટકો છે.

ગ્રેજ્યુએટ વિઝાના સમયમાં ઘટાડો

વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ વિઝા એટલે કે જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી કામ કરવાની મંજૂરી આપે છે તેનો સમયગાળો 2 વર્ષથી ઘટાડીને 18 મહિના કરવામાં આવ્યો છે. પહેલા પીએચડી સ્ટુડન્ટને 3 વર્ષ મળતા હતા, પરંતુ હવે તે દરેક માટે આ સમય ફક્ત 18 મહિનાનો રહેશે. ભારત અને ચીનમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ બ્રિટન જાય છે અને આ ફેરફારથી તેમનો નોકરી શોધવાનો સમય ઓછો થશે.

ઇમિગ્રેશન સ્કિલ ચાર્જમાં વધારો

હવે દરેક વિદેશી કર્મચારી માટે હાય ઇમિગ્રેશન સ્કિલ ચાર્જ ચૂકવવો પડશે, જેમાં 32% નો વધારો થયો છે. નાની કંપનીઓ માટે આ ચાર્જ 480 પાઉન્ડ અને મોટી કંપનીઓ માટે વાર્ષિક 1320 પાઉન્ડ થઈ ગયો છે. તેનાથી કંપનીઓ પર ખર્ચ વધશે, જે ભારતીય અને ચીની વ્યાવસાયિકોના રોજગાર પર અસર કરી શકે છે.

ભારત પર શું અસર પડશે?

બ્રિટનમાં બિન-યુરોપિયન પ્રવાસીઓનો સૌથી મોટો સમૂહ ભારત છે. 2023 માં, 2.5 લાખ ભારતીયો બ્રિટન ગયા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ વર્કર્સ હતા. જાણો નવા નિયમો ભારતીઓને કેવી અસર કરશે?

  • હેલ્થ અને કેર ક્ષેત્ર: ભારતમાંથી મોટી સંખ્યામાં નર્સિંગ આસિસ્ટન્ટ અને કેર વર્કર બ્રિટન જતા હતા. હવે આ ક્ષેત્રમાં નવી ભરતી બંધ થવાને કારણે, હજારો લોકો માટે આ રસ્તો બંધ થઈ ગયો છે. ખાસ કરીને કેરળ અને પંજાબ જેવા રાજ્યોથી આવતા લોકોને ખૂબ અસર થશે.
  • સ્કિલ્ડ વર્કર્સ: હવે વિઝા ફક્ત ડિગ્રી સ્તરની નોકરીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. આઇટી, એન્જિનિયરિંગ અને હેલ્થ જેવા ક્ષેત્રોમાં કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને ફાયદો થઈ શકે છે કારણ કે તેમને ઝડપી સેટલમેન્ટની તક મળશે. જોકે, ઓછી કુશળતા ધરાવતા લોકો માટે યુકે જવાનું વધુ મુશ્કેલ બનશે.
  • સ્ટુડન્ટ્સ : 2023- 24માં 1.07 લાખ ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન ગયા હતા. ગ્રેજ્યુએટ વિઝાની અવધિમાં ઘટાડો થવાને કારણે, તેમના માટે અભ્યાસ પછી નોકરી શોધવી મુશ્કેલ બનશે. નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) એ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જે યુકેના અર્થતંત્ર માટે પણ હાનિકારક હોઈ શકે છે.
  • આશ્રિતો: અંગ્રેજી પરીક્ષાની નવી શરતથી પરિવાર સાથે બ્રિટન જતા લોકો માટે મુશ્કેલીઓ વધશે. ખાસ કરીને એવા પરિવારો માટે જ્યાં આશ્રિતોનું અંગ્રેજી નબળું હોય.

વધુ વાંચો: H-1B વિઝાને લઇ અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, સીધી ભારતીયોને થશે અસર

અન્ય દેશો પર શું અસર પડશે?

આ નવાં નિયમોથી પાકિસ્તાન, નાઇજીરીયા અને શ્રીલંકા જેવા દેશમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ પર પણ ઊંડી અસર પડશે. નાઇજિરિયન અને પાકિસ્તાની વર્કર્સ માટે, ખાસ કરીને કેરવર્કર્સ તરીકે કામ કરતા લોકો માટે, બ્રિટન જવું હવે લગભગ અશક્ય બની ગયું છે. આ દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ વિઝાની ટૂંકી અવધિ અને અંગ્રેજી પરીક્ષાની કડકતાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visa Rules New Uk Immigration Rules Uk Immigration New Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ