દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને ભય ફેલાયેલો છે ત્યારે હવે દુનિયાની સૌથી મોટી હોટેલ ચેન મૈરીયટ તેમના દસ હજાર કર્મચારીઓને રજા પર મોકલી રહી છે. કોરોના વાયરસના કારણે ઉદ્યોગજગતને ખુબ મોટી અસર થઈ રહી છે.
મૈરીયટ દસ હજાર કર્મચારીને રજા આપશે
ગો એયર પણ તેમના કર્મચારીને વગર વેતને રજા પર મોકલશે
કોરોનાના કારણે ઉધોગક્ષેત્રને મોટી અસર થઈ રહી છે
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. અને જેના કારણે હોટેલનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. અને મેરીયટે લગભગ કર્મચારીઓને રજા પર મોકલી દીધા છે.
દુનિયાની સૌથી મોટી હોટેલ ચેન મેરિયટ ઈંટરનેશનલના કર્મચારીઓ ને રજા પર મોકલી દીધા છે. અને આ રજાઓની કર્માચારીઓને સેલેરી નહિ મળે. અને કોરોના વાયરસના કારણે લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. જેમના કારણે હોટેલનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. અને જેમના કારણે ઘણી હોટેલ બંધ પણ થવા લાગી છે.
મૈરીયટએ CNN બિઝનેસે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમનો હોટેલ બિઝનેસ કોરોનાની મહામારીને કારણે ધીમો થઈ રહ્યો છે. અને પોતાનો બિઝનેસ ખૂબ જ ડાઉન થઈ રહ્યો છે. અને મૈરીયટના એક પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા સહયોગી, મહેમાનો અને માલિકોની મદદ કરવા માટે વ્યાપાર પર પડેલી અસરને ઓછી કરવા માટે કામ કરી રહ્યાં છીએ.
ગો એયરે પણ આપી રજા
ગો એયરે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ કરવા માટેની ઘોષણા કરી છે. અને ઉડાન ભરતી ફ્લાઈટની સંખ્યા ઓછી થતાં તેમના કર્મચારીને વગર વેતને રજા આપી રહ્યાં છે. અને સુત્રોની જાણકારી મુજબ કંપની કર્મચારીના વેતનમાં 20 ટકાનો કાપ પણ મુક્વાની યોજના બનાવી રહી છે. અને કંપનીએ એક ન્યુઝ એજેન્સીને જણાવ્યું હતું કે કોરોનાના કારણે સૌથી વધારે અસર વિમાન ઉધોગને થઈ છે. કારણ કે ઘણાં દેશોની સરકારે યાત્રા પર પ્રતિબંધ મુક્યો છે.