બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અફઘાનિસ્તાન–પાકિસ્તાન તણાવ પાક મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, હવે ખુલ્લું યુદ્ધ થશે

વિશ્વ / અફઘાનિસ્તાન–પાકિસ્તાન તણાવ પાક મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, હવે ખુલ્લું યુદ્ધ થશે

Priykant Shrimali

Last Updated: 09:43 AM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Afghanistan-Pakistan News : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી ગઈ છે અને હવે ખુલ્લું યુદ્ધ થશે.

Afghanistan-Pakistan News : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સરહદી તણાવ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાન તરફથી થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે શબ્દયુદ્ધ અને સૈનિકી દાવાઓ તેજ બન્યા છે. આ બધાની વચ્ચે પાક મંત્રી ખ્વાજા આસિફનું નિવેદન સામે આવ્યું છે.

કુનાર પ્રાંતમાં હુમલાના દાવા

અફઘાનિસ્તાન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, કુનાર પ્રાંતમાં કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાનના અનેક સૈનિકો મોતને ભેટ્યા છે. કેટલાક અહેવાલોમાં 55 સૈનિકોના મોતની વાત કરવામાં આવી રહી છે. સાથે જ કેટલીક ચોકીઓ અને એક મુખ્ય મથક પર કબજો જમાવ્યાનો પણ દાવો થયો છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ અલગ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સૂત્રો મુજબ તેમના દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે અને અનેક અફઘાન લડવૈયાઓને ઠાર માર્યા છે.

સંરક્ષણ પ્રધાને અફઘાન તાલિબાન પર આકરા પ્રહારો કર્યા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "પાકિસ્તાનની સેના બીજા ખંડમાંથી આવી નથી. અમે તમારા પડોશી છીએ અને અમે તમારી મર્યાદાઓ જાણીએ છીએ." પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ખૈબર પખ્તુનખ્વા સરહદ પર અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી ગઈ છે અને હવે ખુલ્લું યુદ્ધ થશે.

ખ્વાજા આસિફે ભારત વિશે શું કહ્યું?

આસિફે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના બહાદુર સશસ્ત્ર દળો ભારત સમર્થક તાલિબાન અને અફઘાન આક્રમણનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે દુશ્મનનો પરાજય નક્કી છે, ઇન્શાઅલ્લાહ. સંરક્ષણ મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે નાટોના પાછા ખેંચાયા પછી, તાલિબાને અફઘાનિસ્તાનને ભારતીય વસાહતમાં ફેરવી દીધું અને વિશ્વભરમાંથી આતંકવાદીઓને ભેગા કરીને આતંકવાદની નિકાસ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાને સામાન્યતા જાળવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ તાલિબાન શાસન ભારત માટે પ્રોક્સી બની ગયું છે.

આ પણ વાંચો : એપસ્ટીન ફાઈલ મુદ્દે હિલેરી ક્લિન્ટનનો મોટો ખુલાસો બીજી તરફ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના CEOનુ રાજીનામુ

‘ઓપરેશન’ અને જવાબી કાર્યવાહી

પાકિસ્તાની મીડિયા અનુસાર, જવાબી પગલાં તરીકે એક ખાસ સૈનિકી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અનેક હુમલાઓ કરવામાં આવ્યા હોવાનો દાવો છે. પાકિસ્તાને જણાવ્યું છે કે અફઘાન લડવૈયાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અફઘાન પક્ષે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને પાકિસ્તાની સેનાએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khawaja Asif statement Afghanistan Pakistan conflict Kunar province attack
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ