બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / With omicron, it may be harder to tell if you have covid, the common cold or flu

તમારા કામનું / સાચવજો! પહેલા તાવ નથી થતો, આવા લક્ષણ દેખાય છે: ઓમિક્રોન શોધનાર ડોક્ટરે કર્યો દાવો

Parth

Last Updated: 04:21 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું વજન વધુ હોય અને તમે કોરાનાની વેક્સિન ન લીધી હોય તો ઓમિક્રોનનો ખતરો તમને સૌથી વધુ રહે છે. ઓમિક્રોનની શરૂઆત સ્નાયુઓના દુખાવા સાથે થાય છે.

  • દુનિયાભરમાં વધ્યો ઓમિક્રૉનનો ખતરો 
  • ઓમિક્રૉન શોધનાર ડૉક્ટરનો મોટો દાવો 
  • શરૂઆતનું લક્ષણ તાવ નથી 

ડો. એન્જેલિક કોએત્ઝીએ લોકોને ઓમિક્રોન વિશે સચોટ જાણકારી આપી
કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વિશ્વભરના દેશો પર ફરી સકંજો કસવાનું શરૂ કર્યું છે. સતત વધી રહેલા ઓમિક્રોન સંક્રમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચિંતામાં પણ વધારો કર્યો છે. એવામાં સૌથી પહેલા આ વેરિઅન્ટની શોધ કરનાર ડો. એન્જેલિક કોએત્ઝીએ લોકોને ઓમિક્રોન વિશે સચોટ જાણકારી આપી સાવચેત કર્યા હતા.ડો. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે, વાઈરસ દરેક જગ્યાએ છે અને માત્ર બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. તેમણે ઓમિક્રોન વેરિઅન્ટ વિશે સૌથી મહત્વના અને સૌથી વધુ પૂછવામાં આવતા સવાલોના જવાબ આપ્યા હતા.

 જે લોકોએ વેક્સિન લીધી છે તેમનાંમાં હળવાં લક્ષણો
ડો. એન્જેલિકે જણાવ્યું કે, ઓમિક્રોનથી ઘરેલુ સંક્રમણ દર વધુ છે. જો સાત લોકોના પરિવારમાં એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ થાય છે તો માની લો કે તે અન્ય લોકોને પણ સંક્રમિત કરશે જ. હળવાં લક્ષણોવાળા દર્દીઓને પણ સારવારની જરૂરિયાત હોય છે, પછી ભલે તે હોસ્પિટલમાં દાખલ ન થાય. તેમણે કહ્યું કે, વાઈરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આઇસીયુમાં દાખલ મોટા ભાગના સંક્રમિત દર્દીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી. જે લોકોએ વેક્સિન લીધી છે તેમનાંમાં હળવાં લક્ષણો છે.

મેદસ્વી લોકોને વધારે ખતરો, કમરમાં દુખાવો છે મુખ્ય લક્ષણ 
ડો. એન્જેલિકે જણાવ્યું કે, વાઈરલ સંક્રમણને નબળું સમજવું ન જોઇએ. જો તમારું વજન વધુ હોય અને તમે કોરાનાની વેક્સિન ન લીધી હોય તો ઓમિક્રોનનો ખતરો તમને સૌથી વધુ રહે છે. ઓમિક્રોનની શરૂઆત સ્નાયુઓના દુખાવા સાથે થાય છે. તેના શરૂઆતી લક્ષણ ખાંસી અને તાવ નથી. પીઠના નીચેના ભાગમાં દુખાવો તેનાં નવાં લક્ષણો પૈકી એક છે, સ્નાયુઓમાં દુખાવો થવો તેનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય શરીરમાં દુખાવો, થાક, માથામાં દુખાવો વગેરે સામેલ છે. ડો. એન્જેલિકે જણાવ્યું કે, બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. વેક્સિન આપણને સુરક્ષા આપે છે. વાઈરસથી બચવાની જરૂર છે. જો હોસ્પિટલમાં વધુ દર્દીઓ દેખાય તો ફરી કડક પગલાં લેવાની જરૂર પડશે. ઓમિક્રોન વેરિઅન્ટ ઉપલા શ્વસન માર્ગ પર હુમલો કરે છે. તમને ન્યૂમોનિયા પણ થઇ શકે છે, જોકે મોટા ભાગના કેસ સામાન્ય મળ્યા છે. ડો. કોએત્ઝીએ લોકોને કોવિડ-૧૯ વેક્સિનના બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે. ભારતમાં પણ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus covid 19 omicron variant ઓમિક્રૉન વેરિયન્ટ કોરોના વાયરસ કોવિડ 19 Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ