બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:37 PM, 3 August 2026
1/6
12 ઓગસ્ટે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો સૂતકકાળ પણ માન્ય નહીં રહે. આ સૂર્યગ્રહણનો પ્રભાવ કર્ક રાશિ પર આખો મહિનો રહેશે. તેની અસર 12 ઓગસ્ટથી 15 દિવસ પહેલાં અને 15 દિવસ પછી સુધી ચાલુ રહેશે. જેમાં બધી 12 રાશિઓ પર તેનો કોઈને કોઈ અસર તો થશે જ પરંતુ કર્ક રાશિમાં ગ્રહણ લાગવાનું હોવાથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર પડશે . તેમને આરોગ્ય, માનસિક તણાવ અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
2/6
કોઈ પણ મોટો આર્થિક નિર્ણય વિચાર્યા વગર ન લો. અજાણ્યા વ્યક્તિની વાતમાં આવીને પૈસાનું વ્યવહાર કરવાનો ટાળો. રોકાણ, ખરીદી કે બીજી નાણાકીય બાબતોમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. તેના બદલે શાંતિથી વિચારીને પગલાં ભરવા જ સારી વાત છે. નાની ભૂલ પણ મોટી ચિંતાનું કારણ બની શકે છે આથી દરેક નિર્ણયમાં સંતુલિત દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.
3/6
4/6
કર્ક રાશિના લોકો માટે આ ગ્રહણ મેડીકલની તકલીફો અને માનસિક તણાવનો સંકેત આપે છે. જૂની બીમારીઓ ફરી આવી શકે છે. તેથી દિનચર્યા અને સ્વાસ્થ્ય પ્રત્યે અવગણના ન કરો. માનસિક સંતુલન જાળવી રાખો અને બિનજરૂરી તણાવથી દૂર રહો. સંયમિત વિચાર અને સકારાત્મક દૃષ્ટિકોણ આ સમયને સરળ બનાવી શકે છે.
5/6
કર્ક રાશિના લોકોની અસલી તાકાત તેમના આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં છે. પોતાની અંદરની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને આર્થિક બાબતોમાં ધીરજ રાખો. દરેક નિર્ણય વિચારીને લો. ગ્રહણ દરમિયાન 'ॐ सूर्याय नमः' કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને ગ્રહણકાળ બાદ ગરીબોને દાન કરવાનું ભૂલશો નહીં.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ