બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાણીની ટાંકી પાસે ખુલ્લી પાઇપ શા માટે હોય છે? કારણ જાણીને ચોંકી જશો!
5 ફોટો ગેલેરી
Last Updated: 05:00 PM, 11 August 2026
1/5
ધાબા પર મુકેલી પાણીની ટાંકીઓમાંથી ઘરના અલગ-અલગ ભાગો સુધી પાણી પહોંચાડવા માટે વિવિધ પાઈપલાઈનનું કનેક્શન કરવામાં આવે છે. જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય, તો ટાંકીમાંથી નીકળતી મુખ્ય લાઈન પર એક પાઈપ સીધો ઊભો કરવામાં આવે છે અને તેનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો રાખવામાં આવે છે. સામાન્ય રીતે તેની ઉપર T-જોઈન્ટ લગાડેલો હોય છે. કોઈ કનેક્શન ન હોવા છતાં આ પાઈપ મૂકવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ રહેલું છે.
2/5
ટાંકીમાંથી નીકળતી ડિલિવરી લાઈન સાથે જોડાયેલા આ પાઈપને 'એર વેન્ટ' (Air Vent) અથવા 'એર રીલીઝ એરેન્જમેન્ટ' કહેવામાં આવે છે. આ પાઈપનો મુખ્ય હેતુ પાઈપલાઈનમાં ફસાયેલી હવાને બહાર કાઢવાનો અને જરૂર પડે ત્યારે હવાને અંદર આવવા દેવાનો છે. તેનાથી પાઈપમાં એર-લોક (Air-lock) ની સમસ્યા થતી નથી અને નળમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહે છે.
3/5
ઘણીવાર પાઈપમાં હવા ભરાઈ જવાના કારણે પાણીનો ફ્લો ધીમો પડી જાય છે અથવા અટકી જાય છે. ઉપર તરફ ખુલ્લો રહેલો આ પાઈપ ફસાયેલી હવાને બહાર નીકળવાનો રસ્તો આપે છે. આ ઉપરાંત, જ્યારે પાઈપમાં પાણી ઝડપથી નીચે જઈ રહ્યું હોય ત્યારે અંદર વેક્યુમ (શૂન્યાવકાશ) સર્જાય છે. આ ખુલ્લો પાઈપ તે વેક્યુમ બનતા અટકાવવા બહારથી હવા અંદર ખેંચવામાં મદદ કરે છે. આથી જ તેને બોલચાલની ભાષામાં બ્રીધર પાઈપ (Breather Pipe) પણ કહેવાય છે.
4/5
5/5
આ જ પદ્ધતિથી ગટર (સીવર) લાઈન માટે પણ 'સીવર વેન્ટ' પાઈપ બનાવવામાં આવે છે. આ પાઈપ ગટરના કનેક્શન સાથે જોડાયેલો હોય છે અને ઘરની ઉપર છત તરફ ઊંચો રાખવામાં આવે છે. તેનું કામ ગટરમાં બનતા ગેસ અને દુર્ગંધને ઘરની અંદર ફેલાવા દેવાને બદલે સીધા હવામાં મુક્ત કરવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ