બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / Why is the promise to deliver rupees to the bearer written on notes in India
Manisha Jogi
Last Updated: 09:02 PM, 12 March 2023
દેશની અર્થવ્યવસ્થામાં ચલણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. બજારમાં નોટોનું ચલણ જળવાઈ અને નોટની કમી ના થાય તે તમામ બાબત સરકાર સુનિશ્ચિત કરે છે. આ કારણોસર સરકાર પણ સમયાંતરે નોટ જાહેર કરે છે. ભારતીય ચલણની નોટ પર એક વાક્ય લખેલું છે કે, ‘હું ધારકને સો રૂપિયા અદા કરવા માટેનું વચન આપું છું’. ખૂબ જ ઓછા લોકોને આ વાક્યનો અર્થ અને શા માટે લખવામાં આવ્યું તે ખબર હશે.
નોટને ખાસ બનાવવા માટે
કોઈપણ દેશમાં આ પ્રકારની નોટ છાપવામાં આવે છે જેથી તેની પ્રતિલિપિ બનાવીને નકલી નોટ છાપી ના શકાય. સરકારની કેન્દ્રીય બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આ નોટ જાહેર કરે છે, જેમાં અનેક પ્રકારના સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી નકલી નોટ છાપી ના શકાય.
નકલી અને અસલી નોટ વચ્ચેનો ભેદ
જે માટે ખાસ પ્રકારના કાગળ અને શાહીની સાથે સાથે નોટમાં ખાસ પ્રકારનો દોરો, ચમકલી પટ્ટી અને જટિલ ડિઝાઈન શામેલ કરવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારે નકલી નોટ બનાવી ના શકાય. જેથી સરળતાથી નકલી અને અસલી નોટ વચ્ચેનો ભેદ ખબર પડી શકે.
ખાસ વાક્ય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતમાં નોટ જાહેર કરે છે. આ નોટ પર એક ખાસ વાક્ય લખેલું હોય છે કે- ‘હું ધારકને સો રૂપિયા અદા કરવા માટેનું વચન આપું છું’. આ પ્રકારે અલગ અલગ નોટ પર તેનું મૂલ્ય બદલાતું રહે છે, પરંતુ વાક્ય આ જ રહે છે. આ નોટની નીચે RBIની સહી હોય છે.
અર્થ શું છે?
આ વાક્યનો અર્થ એ વાતની પુષ્ટી કરે છે કે, આ કાગળના ટુકડા વાસ્તવિક મૂલ્યની પુષ્ટી રિઝર્વ બેન્ક ઓફ ગવર્નર કરે છે. જે આ બેન્કની ગેરંટી આપે છે કે, બેન્કની પાસે તેટલા મૂલ્યનું સોનુ સંચિત રાખવામાં આવ્યું છે અને તે સોનાનું પણ આટલું જ મૂલ્ય છે. આ વાક્ય નોટની કિંમતની પુષ્ટી કરે છે.
ગવર્નરની સહી
RBI ગવર્નર આ વાક્યની પુષ્ટી કરે છે. જે ગવર્નરના કાર્યકાળમાં નોટ જાહેર કરવામાં આવી હોય, તે ગવર્નરના આ નોટ પર હસ્તાક્ષર હોય છે. જે તમને ગવર્નરનો કાર્યકાળ ખબર હોય તો તમે જાણી શકો છો કે, આ નોટ કોના કાર્યકાળમાં જાહેર કરવામાં આવી હતી. આજકાલની નોટ પર નોટ જાહેર થવાનું વર્ષ પણ લખેલું હોય છે.
કેન્દ્ર સરકારની ગેરંટી
તમામ નોટ પર રિઝર્વ બેન્કની નીચે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત અને અંગ્રેજીમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નીચે ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ લખેલું હોય છે. આ તમામ બાબતો અને સંકેત આ નોટને એક ચલણમાં પરિવર્તિત કરે છે.
તમામ નોટ પર રિઝર્વ બેન્કના ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. એક રૂપિયાની નોટની કહાની અલગ હોય છે, આ નોટ પર રિઝર્વ બેન્કનું નામ પણ હોતું નથી. આ નોટ રિઝર્વ બેન્ક નહીં પરંતુ, ભારત સરકાર જાહેર કરે છે અને તેના પર નાણાં સચિવના હસ્તાક્ષર હોય છે. આજના સમયમાં આ પ્રકારની નોટ ચલણમાં નથી અને તે છાપવામાં પણ આવતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા