બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:50 PM, 11 January 2026
જ્યારે કોઈ પણ રાશિમાંથી સૂર્ય ગોચર કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે. આથી એક વર્ષમાં 12 સંક્રાંતિઓ હોય છે. તેમાં જો સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મેષ સંક્રાંતિ કહેવાય છે. દરેક સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. પણ બે સંક્રાંતિઓ ખાસ મહત્વની છે. પહેલી મકરસંક્રાંતિ અને બીજી કર્ક સંક્રાંતિ. પરંતુ સવાલ એ છે કે સંક્રાંતિઓમાં મકરસંક્રાંતિ શા માટે ખાસ છે?
ADVERTISEMENT
જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી અગ્નિ તત્વની શરૂઆત થાય છે. આ દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન સૂર્ય દેવ પણ ઉત્તરાયણમાં હોય છે. આ દરમિયાન જપ, સ્નાન અને દાન માટે સૌથી ખાસ છે. તે દેવતાઓ માટે પણ શુભ મનાય છે. આ દિવસે, સૂર્યની પૂજા કરવી જોઈએ.
ADVERTISEMENT
આ વર્ષે એટલે કે 2026માં સૂર્ય બપોરે મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિ માટે સ્નાન અને દાન 14 જાન્યુઆરીએ કરવામાં આવશે. મહાપુણ્ય કાળ બપોરે 3:13 થી 4:58 વાગ્યા સુધીનો રહેશે. તેનો પુણ્ય કાળ બપોરે 3:13 થી 5:46 વાગ્યા સુધીનો રહેશે.

ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.