બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આયોડીનની ઉણપને હળવાશથી ન લેતા! શરીરમાં તેની કમીથી થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / આયોડીનની ઉણપને હળવાશથી ન લેતા! શરીરમાં તેની કમીથી થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

Last Updated: 04:54 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આયોડિન શરીરના યોગ્ય વિકાસ અને માનસિક ક્ષમતા માટે ખુબ જરૂરી મિનરલ છે. શરીરમાં આયોડિનની લાંબા સમય સુધી અછત રહેવાથી ગોઇટર અને બાળકોમાં માનસિક તથા શારીરિક વિકાસ અટકવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

1/5

photoStories-logo

1. આયોડીનની ઉણપને હળવાશથી ન લેતા! શરીરમાં તેની કમીથી થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત હોય છે, જેમાં આયોડિન એક અત્યંત મહત્વપૂર્ણ મિનરલ છે. આયોડિન શરીરમાં થાઇરોઇડ હોર્મોન બનાવવામાં મદદ કરે છે, જેનાથી થાઇરોઇડ ગ્રંથિ (Thyroid Gland) યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. આ મિનરલ શરીરની વૃદ્ધિ, મગજના વિકાસ, મેટાબોલિઝમ અને ઉર્જાના સ્તરને જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આયોડિનની કમીથી શરીર પર થતી અસર

અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (MedlinePlus) ના જણાવ્યા અનુસાર, શરીરમાં આયોડિનની ઉણપ થવાથી પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન બનતા નથી. આ કારણે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય છે, જેને 'ગોઇટર' (ઘેંઘા) કહેવામાં આવે છે. આ સિવાય 'હાઇપોથાઇરોઇડિઝમ' ની સમસ્યા થઈ શકે છે, જેનાથી શરીરની ક્રિયાઓ ધીમી પડી જાય છે અને સતત થાક, વજન વધવું, વધુ પડતી ઠંડી લાગવી તથા કાર્યક્ષમતા ઘટવી જેવી તકલીફો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નાના બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ અટકી શકે

ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને આયોડિન મુક્ત મીઠું વાપરતા લોકોમાં આ ઉણપનું જોખમ વધુ રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન આયોડિનની અછતથી ગર્ભમાં રહેલા શિશુના મગજ અને શરીરના વિકાસ પર વિપરીત અસર પડે છે, જ્યારે નાના બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ અટકી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આયોડિનની કમીના મુખ્ય લક્ષણો

શરીરમાં આયોડિન ઘટી જવાથી ગળાના આગળના ભાગમાં સોજો (થાઇરોઇડ ગ્રંથિનું કદ વધવું) જોવા મળે છે. આ ઉપરાંત નીચે મુજબના લક્ષણો દેખાઈ શકે છે. સતત થાક અને નબળાઈ અનુભવાવી, અચાનક વજન વધવું, વધુ પડતી ઠંડી લાગવી અને ત્વચા શુષ્ક (Dry Skin) થવી, વાળ ખરવા અને કબજિયાતની સમસ્યા થવી, એકાગ્રતામાં ખામી અને બાળકોમાં શીખવાની ક્ષમતા ઘટવી. (નોંધ: આ લક્ષણો અન્ય બીમારીઓના પણ હોઈ શકે છે, તેથી યોગ્ય તબીબી સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આયોડિનની ઉણપ કેવી રીતે પૂરી કરવી?

આયોડિનની ઉણપ દૂર કરવા માટે હંમેશાં આયોડિન યુક્ત મીઠાનો જ આહારમાં ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત દૂધ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા અને માછલી (Fish) આયોડિનના ઉત્તમ સ્ત્રોત છે. શાકાહારી લોકો આયોડિન યુક્ત મીઠું અને ડેરી પ્રોડક્ટ્સ દ્વારા પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે. ડોક્ટરની સલાહ વગર આયોડિન સપ્લીમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે જરૂરિયાત કરતાં વધુ આયોડિન પણ થાઇરોઇડની સમસ્યા વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IodineDeficiency HealthNews IodizedSalt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ