બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / Whose ideology is the protest against Ram Mandir, are the leaders floating in the name of Ram?
Vishal Khamar
Last Updated: 09:45 PM, 17 April 2024
રામના નામે પથ્થરો તરે એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, ત્રેતાયુગમાં રામના નામે પથ્થરો તરતા હતા અને એ જ સેતુથી ભગવાન શ્રીરામ અસત્યને પરાસ્ત કરવા લંકા સુધી ગયા હતા. હવે રામના નામે પથ્થર તરે છે કે નહીં તેની ખબર નથી પણ રાજનેતાઓ ચોક્કસ તરી જાય છે. કામ બોલે કે ન બોલે પણ નેતાના મુખે રામનું નામ ચોક્કસ છે. સમાજજીવનમાં રામ આસ્થાના કેન્દ્રમાં છે પણ નેતા માટે રામ કદાચ મધલાળ સમાન છે. રામના નામે કદાચ જનતા આપણી નોંધ લેતી હોય તો પહેલા ભલે રામનો વિરોધ કર્યો હોય પણ અત્યારના માહોલમાં રામનું નામ લેવામાં પણ કોઈ વાંધો નથી.
તાજેતરની વિચિત્રતા તો કોંગ્રેસના નેતાઓમાં જોવા મળી જેણે પક્ષની વિચારધારાના નામે રામમંદિર કે રામનો વિરોધ કર્યો હોય પણ જ્યારે પક્ષ છોડ્યો ત્યારે ઠાવકા બનીને એમ કહ્યું કે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામા આપેલું આમંત્રણ કોંગ્રેસે ઠુકરાવ્યું એટલે તેઓ ભગવાન રામનું અપમાન સહન નથી કરી શકતા અને એટલે જ કોંગ્રેસ છોડી રહ્યા છે. આપણી સામે એક તરફ એવું વ્યક્તિત્વ છે જે મર્યાદા ખાતર સર્વસ્વ ત્યાગી દે છે અને બીજી તરફ એ જ મર્યાદા પુરુષોતમનું નામ વટાવી ખાતા નેતા છે જેના માટે પોતાની જ વિચારધારા કે નિવેદન ઉપરથી 360 ડિગ્રીના ખૂણે ફરી જવું એ રમત વાત છે. સવાલ એ છે કે આવી રીતે રામનું નામ લઈને રાજકારણની નાવડીમાં તરી જવાય કે નહીં.
રામના નામે પક્ષ છોડ્યો
રોહન ગુપ્તા
ગૌરવ વલ્લભ
અર્જુન મોઢવાડિયા
અંબરીષ ડેર
ચિરાગ પટેલ
ડૉ.સી.જે.ચાવડા
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
વધુ વાંચોઃ 'રૂપાલા સંભિવત ઉમેદવાર', ધાનાણીએ માર્યો ટોણો, ભાજપે કર્યો વળતો ઘા
કોંગ્રેસના વલણ અંગે પ્રધાનમંત્રીએ શું કહ્યું?
રામમંદિરનું રાજનીતિકરણ કોણે કર્યું એ સમજવાની જરૂર છે. હું કે મારો પક્ષ જન્મ્યા પણ નહતા ત્યારનો આ મુદ્દો છે. રામમંદિરનું સમાધાન કોંગ્રેસના હાથની વાત હતી. રામમંદિરને કોંગ્રેસે હથિયારની જેમ વાપર્યું. વોટબેંકના રાજકારણને કારણે રામમંદિરના મુદ્દાને લટકતો રાખવામાં આવ્યો છે. કોર્ટના માધ્યમથી પણ સમાધાન થઈ શક્યું હોત. કોર્ટના માધ્યમથી પણ કોંગ્રેસ મુદ્દાનું સમાધાન ન લાવી. રામમંદિર બન્યું એટલે કોંગ્રેસના હાથમાંથી મુદ્દો જતો રહ્યો હતો. કોંગ્રેસ પાસે હવે લોકોને ડરાવવા કોઈ મુદ્દો નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog