બ્રેકિંગ ન્યુઝ
VTV / Whose ideology is the protest against Ram Mandir, are the leaders floating in the name of Ram?
Last Updated: 09:45 PM, 17 April 2024
ADVERTISEMENT
રામના નામે પથ્થરો તરે એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, ત્રેતાયુગમાં રામના નામે પથ્થરો તરતા હતા અને એ જ સેતુથી ભગવાન શ્રીરામ અસત્યને પરાસ્ત કરવા લંકા સુધી ગયા હતા. હવે રામના નામે પથ્થર તરે છે કે નહીં તેની ખબર નથી પણ રાજનેતાઓ ચોક્કસ તરી જાય છે. કામ બોલે કે ન બોલે પણ નેતાના મુખે રામનું નામ ચોક્કસ છે. સમાજજીવનમાં રામ આસ્થાના કેન્દ્રમાં છે પણ નેતા માટે રામ કદાચ મધલાળ સમાન છે. રામના નામે કદાચ જનતા આપણી નોંધ લેતી હોય તો પહેલા ભલે રામનો વિરોધ કર્યો હોય પણ અત્યારના માહોલમાં રામનું નામ લેવામાં પણ કોઈ વાંધો નથી.
ADVERTISEMENT
તાજેતરની વિચિત્રતા તો કોંગ્રેસના નેતાઓમાં જોવા મળી જેણે પક્ષની વિચારધારાના નામે રામમંદિર કે રામનો વિરોધ કર્યો હોય પણ જ્યારે પક્ષ છોડ્યો ત્યારે ઠાવકા બનીને એમ કહ્યું કે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામા આપેલું આમંત્રણ કોંગ્રેસે ઠુકરાવ્યું એટલે તેઓ ભગવાન રામનું અપમાન સહન નથી કરી શકતા અને એટલે જ કોંગ્રેસ છોડી રહ્યા છે. આપણી સામે એક તરફ એવું વ્યક્તિત્વ છે જે મર્યાદા ખાતર સર્વસ્વ ત્યાગી દે છે અને બીજી તરફ એ જ મર્યાદા પુરુષોતમનું નામ વટાવી ખાતા નેતા છે જેના માટે પોતાની જ વિચારધારા કે નિવેદન ઉપરથી 360 ડિગ્રીના ખૂણે ફરી જવું એ રમત વાત છે. સવાલ એ છે કે આવી રીતે રામનું નામ લઈને રાજકારણની નાવડીમાં તરી જવાય કે નહીં.
ADVERTISEMENT
રામના નામે પક્ષ છોડ્યો
ADVERTISEMENT
રોહન ગુપ્તા
ગૌરવ વલ્લભ
અર્જુન મોઢવાડિયા
અંબરીષ ડેર
ચિરાગ પટેલ
ડૉ.સી.જે.ચાવડા
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
ADVERTISEMENT
વધુ વાંચોઃ 'રૂપાલા સંભિવત ઉમેદવાર', ધાનાણીએ માર્યો ટોણો, ભાજપે કર્યો વળતો ઘા
કોંગ્રેસના વલણ અંગે પ્રધાનમંત્રીએ શું કહ્યું?
રામમંદિરનું રાજનીતિકરણ કોણે કર્યું એ સમજવાની જરૂર છે. હું કે મારો પક્ષ જન્મ્યા પણ નહતા ત્યારનો આ મુદ્દો છે. રામમંદિરનું સમાધાન કોંગ્રેસના હાથની વાત હતી. રામમંદિરને કોંગ્રેસે હથિયારની જેમ વાપર્યું. વોટબેંકના રાજકારણને કારણે રામમંદિરના મુદ્દાને લટકતો રાખવામાં આવ્યો છે. કોર્ટના માધ્યમથી પણ સમાધાન થઈ શક્યું હોત. કોર્ટના માધ્યમથી પણ કોંગ્રેસ મુદ્દાનું સમાધાન ન લાવી. રામમંદિર બન્યું એટલે કોંગ્રેસના હાથમાંથી મુદ્દો જતો રહ્યો હતો. કોંગ્રેસ પાસે હવે લોકોને ડરાવવા કોઈ મુદ્દો નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.