બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગૌરી વ્રત ક્યારેથી શરૂ? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ગૌરી વ્રત ક્યારેથી શરૂ? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Last Updated: 05:47 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અષાઢ શુક્લ એકાદશીથી ગુરુ પૂર્ણિમા સુધીના પાંચ દિવસીય ગૌરી વ્રતથી માતા પાર્વતીની કૃપા મેળવવામાં આવે છે. જેમાં કુંવારી કન્યાઓ મનગમતા પતિ અને સુહાગન સ્ત્રીઓ સુખી વિવાહિક જીવન માટે આ વ્રત રાખે છે.

1/6

photoStories-logo

1. ગૌરી વ્રત

હિંદુ ધર્મમાં અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થતું ગૌરી વ્રત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ વ્રત આષાઢી પૂર્ણિમા સુધી રાખવામાં આવે છે. શ્રાવણ માસ શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ માતા પાર્વતી (ગૌરી)ના આશીર્વાદ મેળવવા માટે આ વ્રત રાખવામાં આવે છે. ગુજરાતમાં આ વ્રતને ‘મોડાકત વ્રત’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગૌરી વ્રતનો શુભ સમય

પંચાંગ અનુસાર વર્ષ 2026માં આ વ્રતની શરૂઆત 25 જુલાઈ 2026 શનિવારે આષાઢ શુંક્લ એકાદશીથી થશે અને વ્રત 29 જુલાઈ 2026ના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે. આ પાંચ દિવસીય વ્રત સુખ-સૌભાગ્ય અને મનોકામના પૂર્ણ કરવા માટે રાખવામાં આવે છે. આ વ્રતના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 04:16 થી 04:57 અને અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:55 સુધી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગૌરી વ્રતની પૂજા વિધિ

આ વ્રતના પ્રથમ દિવસે કુંવારી કન્યાઓ અને સુહાગન સ્ત્રીઓ સ્નાન-ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લે છે. ત્યારબાદ પવિત્ર માટીથી માતા ગૌરીની મૂર્તિ બનાવવામાં આવે છે. જેમાં એક માટીના વાસણમાં ઘઉંના દાણા વાવીને જવારા તૈયાર કરવામાં આવે છે અને રોજ માતા ગૌરી સાથે તેની પણ પૂજા કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જાગરણ

યુવતીઓ રૂઈની માળા બનાવીને તેને સિંદૂરથી સજાવે છે. પૂજામાં માતા પાર્વતી સાથે ભગવાન શિવ અને ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. સવાર-સાંજ પૂજા અને આરતીની સાથે અમુક સ્થળોએ વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણની પરંપરા પણ છે. આ વ્રતના પારણા અંતિમ દિવસે વિધિ અનુસાર કરવામાં આવે છે. આ વ્રતમાં મીઠું અને ટામેટાનું સેવન ટાળવું જોઈએ. માતા ગૌરીને ઝડપથી પ્રસન્ન કરવા માટે ‘ॐ देवी महागौर्यै नमः’ મંત્રનો જાપ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગૌરી વ્રતનું મહત્વ

આ વ્રત ગુજરાત અને પશ્ચિમી રાજ્યોમાં કુંવારી કન્યાઓ દ્વારા મનપસંદ જીવનસાથી પ્રાપ્ત કરવાની કામનાથી રાખવામાં આવે છે. જેમાં એવી માન્યતા છે કે આ વ્રતથી કન્યાઓને મહાદેવ જેવા સુયોગ્ય, સંસ્કારી અને ગુણવાન પતિ પ્રાપ્ત થાય છે. સુહાગન સ્ત્રીઓ પણ સુખી વૈવાહિક જીવન અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gauri Mata Modakat Vrat Parvati Mata
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ