બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / when are schools reopen in india know your states updates

મોટા સમાચાર / જાણો, દેશનાં કયા કયા રાજ્યોમાં ખુલશે સ્કૂલો, ગુજરાત સહિત આ રાજ્યોનો શું છે પ્લાન

Dharmishtha

Last Updated: 05:57 AM, 24 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક રાજ્યોએ સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ગુજરાત સહિત આ રાજ્યોમાં સ્કૂલો ખુલશે.

  • જ્યાં કોરોનાનો સંક્રમણ દર ઓછો ત્યાં ફરી સ્કૂલો ખુલશે
  • હિમાચલ, છત્તીસગઢ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સ્કૂલો ખુલશે
  • પ.બંગાળ અને દિલ્હીમાં સ્કૂલો નહીં ખુલે

જ્યાં કોરોનાનો સંક્રમણ દર ઓછો ત્યાં ફરી સ્કૂલો ખુલશે

દેશમાં જેમ જેમ કોરોનાની લહેર નબળી પડી રહી છે રાજ્ય સરકારો છુટમાં વધારો કરી રહ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યોએ સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ  (AIIMS)ના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાઓ પણ સ્કૂલો ખોલવાની તરફેણ કરી છે.  તેમણે શુક્રવારે કહ્યું કે જે વિસ્તારોમાં કોરોનાનો સંક્રમણ દર ઓછો છે. ત્યાં ફરી સ્કૂલો ખોલી શકાય છે. તેમણે કહ્યું કે સ્કૂલો ખોલવી જરુરી છે. આ બાળકોના સમાજીકરણની દ્રષ્ટિએ પણ જરુરી છે. ત્યારે જાણો ક્યા કયા રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવશે.

હિમાચલ પ્રદેશ

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા 2 ઓગસ્ટથી 10માં અને 12માં ધોરણ સુધી રેજિડેન્શિયલ અને આંશિક રુપથી રેજિડેન્શિયલ સ્કૂલોને ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ધો. 5 અને 8ના વિદ્યાર્થીઓને આ તારીખથી અભ્યાસ સંબંધિત આ વસ્તુઓ અંગે પુછવા માટે સ્કૂલને પરવાનગી આપવામાં આવી છે.

છત્તીસગઢ

અહીં ઉચ્ચત્તમ માધ્યમિક સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને 2 ઓગસ્ટથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન ફક્ત 50 ટકા હાજરીને પરવાનગી આપવામાં આવી છે. આ સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રહેશે. તેમજ જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવે છે તેમને માતાપિતાનો લેખિત પરવાનગી પત્ર આપવાનો રહેશે.

દિલ્હી

કેજરીવાલ સરકારે કહ્યું કે સ્કૂલોને ખોલવા માટે આર્દશ સ્થિતિ તો રસીકરણ બાદ જ છે. બીજા રાજ્યોમાં સ્કૂલોખુલી રહી છે અનુભવ સારો રહ્યો તો થોડાક દિવસોમાં સ્કૂલો ખોલવાનું વિચારવામાં આવશે.

ગુજરાત

અહીં 26 જુલાઈથી 9-11માં સુધીની સ્કુલોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન ફક્ત 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની પરવાનગી આપવામાં આવી છે. જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવે છે તેમને માતાપિતાનો લેખિત પરવાનગી પત્ર આપવાનો રહેશે.

પંજાબ

અહીં સરકારે 26જુલાઈથી 10-12 સુધી સ્કુલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલોમાં તે જ  શિક્ષકોને આવવાની પરવાનગી રહેશે જેમણે રસીના બન્ને ડોઝ લીધા છે. જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવે છે તેમને માતાપિતાનો લેખિત પરવાનગી પત્ર આપવાનો રહેશે.


મધ્ય પ્રદેશ

26 જુલાઈથી સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.11-12 માં સુધીની સ્કૂલો ખુલી રહી છે. કોરોનાની સ્થિતિને જોયા બાદ પણ નીચલી કક્ષાની સ્કૂલો ખોલવાની તૈયારી કરવામાં આવશે.  જો કે એક દિવસ છોડીને વિદ્યાર્થીઓ સ્કૂલે આવશે.

પશ્ચિમ બંગાળ

કોઈ પણ સ્તરની સ્કુલો ખોલવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો. જ્યારે સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે ત્યારે સિનિયર ક્લાસ ખોલવામાં આવશે. આવનારા દિવસોમાં સરકાર નિર્ણય કરી શકે છે.

આંધ્રપ્રદેશ

આ રાજ્યમાં16 ઓગસ્ટે સ્કૂલો ખોલવાની તૈયારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus school કોરોના વાયરસ ગુજરાત સ્કૂલ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ