કમ્પ્યૂટર પ્રોગ્રામર અને વોટસએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને લોકોને ફેસબુક ડિલીટ કરવાનું કહીને સનસનાટી મચાવી છે. બ્રાયન એકટન ફેસબુકની પ્રાઇવેસીની સમસ્યા અને એન્ક્રિપ્શન મામલે નારાજ છે. બ્રાયને ફરી એકવાર ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગથી અલગ અભિપ્રાય આપ્યો છે અને યુઝર્સને ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાની અપીલ કરી છે. ટેક્નોલોજી ઇનોવેશન અને કમ્પ્યૂટર્સના ભાવિ સંશોધન માટે સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત કોન્ફરન્સમાં બ્રાયન એક્ટને કહ્યું હતું કે જો યુઝર્સને તેમના ફેસબુક પેજ પર થતાં જાહેરખબરના મારાથી કોઇ પ્રોબ્લેમ નથી તેઓ ખુશીથી ફેસબુક પર રહી શકે છે.
યુઝર્સની પ્રાઇવેસીમાં છેડછાડ કરવા માટે એકટનની અપીલ
એકટને જાહેરમાં ફેસબુક સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો
ઉલ્લેખનીય છે કે યુઝર્સની પ્રાઇવેસીમાં છેડછાડ કરવા માટે ફેસબુક પર છેલ્લા કેટલાક સમયથી ખુબ માછલા ધોવાઇ રહ્યા છે. એક્ટને કહ્યું કે તે ફેસબુક છોડવાની અપીલ પર મક્ક્મ છે.ગત માર્ચની શરૂઆતમાં તેમણે જાહેરમાં ફેસબુક સાથેના તેમના મતભેદોનો સ્વીકાર કર્યો હતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા બ્રાયને તેમને પણ ફેસબુક એકાઉન્ટ્સ ડિલીટ કરવાની સલાહ આપી હતી.તેમણે ઝકરબર્ગને પોતાની કંપની વોટ્સએપ વેચવાના કારણો પણ પ્રથમ વખત જણાવ્યા હતા.બ્રાયને કહ્યું કે આખરે મેં મારી કંપની વેચી દીધી. વોટસએપની સાથે મેં મારા યુઝર્સની પ્રાઇવેસીને પણ વેચી દીધી છે. મેં આમ કરીને એક ભુલભરેલું સમાધાન કર્યું હતું.તે ભુલના અહેસાસ સાથે હવે હું જીવુ છું.બ્રાયન એક્ટને જેન કૌમ સાથે મળીને વોટસએપ શરૂ કર્યું હતું, પરંતુ 2014માં ફેસબુકે તેને 22 અબજ ડોલરમાં હસ્તગત કર્યું હતું. પરંતુ બાદમાં બ્રાયનને વોટસએપના મેસેજના એન્ક્રિપ્શન સહિતના મુદ્દે માર્ક ઝકરબર્ગ અને ફેસબુકના અન્ય સંચાલકો સાથે મતભેદ થયા હતા. તેમણે ફેસબુક સાથે છેડો ફાડીને 85 અબજ ડોલરની જંગી રકમ પણ જતી કરી હતી.