ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ રાજ્યસભામા એક સંકલ્પ રજૂ કર્યો કે જેમાં કહેવામાં આવ્યું કે, સંવિધાનની કલમ 370ના માત્ર એકને છોડીને તમામ ખંડ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. ગૃહમંત્રીએ કહ્યું, 'રાષ્ટ્રપતિના અનુમોદન બાદ કલસ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય.' બસ, આ સદનમાં આ જાહેરાત થતાં જ આઝાદ ભારતના 72 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો નિર્ણય લેવાયો. મોદી સરકારે એક ઝાટકે કાશ્મીરમાં Article 370 અને 35 A દૂર કરી દીધી છે. ત્યારે આ કલમ કેવી રીતે દૂર થઈ અને હવે તેના પછી શું તમામ માહિતી જાણો સરળ ભાષામાં આજના Ek Vaat Kau ના વીડિયોમાં....