બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે મહત્વ? જાણો વિવિધતા અને પરંપરાથી ભરેલી 10 રોચક વાતો

ધર્મ / મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે મહત્વ? જાણો વિવિધતા અને પરંપરાથી ભરેલી 10 રોચક વાતો

Last Updated: 05:36 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજમાં કરવામાં આવે છે. મહાકુંભ 144 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે. જ્યાં ભક્તો, સંતો અને નાગા સાધુઓ શાહી સ્નાન કરીને પવિત્ર ડૂબકી લગાવશે.

હિન્દુ ધર્મમાં કુંભ મેળાનું ખૂબ મહત્વ છે. કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકના સ્થળોએ વારાફરતી કરવામાં આવે છે. વર્ષ 2025માં પણ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે મહાકુંભ 144 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે. મહાકુંભ 13 જાન્યુઆરી 2025, પોષ પૂનમના રોજ શરૂ થશે. અહીંયા ભક્તો, સંતો અને નાગા સાધુઓ શાહી સ્નાન કરીને પવિત્ર ડૂબકી લગાવશે. આપણે અહીંયા જાણીશું મહાકુંભમાં શાહી સ્નાન અને તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ બાબતો વિશે.

  • કયારે યોજાશે મહાકુંભ?
    પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ મહાકુંભ મેળાનો સમયગાળો 44 દિવસનો છે.
MahaKumbh
  • મહાકુંભમાં સ્નાનનું મહત્વ શું?
    કુંભમેળામાં શાહી સ્નાન સૌથી મહત્વપૂર્ણ ભાગો અને ધાર્મિક વિધિઓમાંનું એક છે. શાહી સ્નાન માટે અમુક તારીખો નક્કી કરવામાં આવે છે. મહાકુંભમાં શાહી સ્નાન ભક્તો માટે જીવનમાં એક વાર કરવાનો અવસર માનવામાં આવે છે, કારણ કે મહાકુંભ દર 144 વર્ષે આવે છે.
  • મહાકુંભમાં સ્નાન કરવાથી કયા ફળ મળે છે?
    શાસ્ત્રો મુજબ મહાકુંભમાં સ્નાન અને પૂજા કરવાથી અનેક ગણા વધુ પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • શાહી સ્નાનની તારીખો કઈ?
  1. પોષ પૂર્ણિમા - 13 જાન્યુઆરી 2025
  2. મકરસંક્રાંતિ - 14 જાન્યુઆરી 2025
  3. મૌની અમાસ (સોમવતી) - 29 જાન્યુઆરી 2025
  4. વસંત પંચમી - 3 ફેબ્રુઆરી 2025

5.  માઘ પૂનમ - 12 ફેબ્રુઆરી 2025

6.  મહાશિવરાત્રી - 26 ફેબ્રુઆરી 2025

MahaKumbh (2)
  • કુંભ મેળો ક્યાં યોજાય છે?
    કુંભ મેળો દેશના ચાર અલગ અલગ તીર્થ સ્થળોએ યોજાય છે.
  1. હરિદ્વાર, ઉત્તરાખંડમાં, ગંગા નદીના કિનારે
  2. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે
  3. ગોદાવરીના કિનારે મહારાષ્ટ્રના નાસિકમાં
  4. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે, ગંગા, યમુના અને પૌરાણિક અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર.
  • કુંભ કેટલા હોય છે?
    કુંભ ચાર પ્રકારના હોય છે, મહાકુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને માઘ મેળો.
  1. મહાકુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને માઘ મેળો એટલે શું?

મહાકુંભ: મહાકુંભ દર 144 વર્ષે યોજાય છે. એવું માનવામાં આવે છે કે મહાકુંભ 12 પૂર્ણ કુંભ મેળા બાદ આવે છે અને તે ફક્ત પ્રયાગરાજમાં જ યોજાય છે.

  1. અર્ધકુંભ: અર્ધ કુંભ દર 6 વર્ષે યોજાય છે. અર્ધકુંભ બે પૂર્ણ કુંભ મેળાઓ વચ્ચે યોજાય છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધકુંભનું આયોજન કરાય છે.
  2. પૂર્ણકુંભ: પૂર્ણકુંભ દર 12 વર્ષે યોજવામાં આવે છે. તે ચાર પવિત્ર સ્થળો - હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં ગમે ત્યાં યોજાઈ શકે છે.

4.  માઘ મેળો: દર વર્ષે માઘ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેને નાનો કુંભ પણ કહેવાય છે. તે માગશર મહિનામાં પ્રયાગરાજમાં યોજાય છે. મોટા ભાગે તે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

  • પહેલી વાર કુંભ ક્યારે અને ક્યાં યોજાયો ?

ધાર્મિક ગ્રંથો મુજબ સતયુગથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ પુરાણોમાં તેનું વિગતવાર વર્ણન જોવા નથી મળતું. તેથી કુંભ સૌપ્રથમ ક્યાં અને ક્યારે યોજાયો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું.

વધુ વાંચો : વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ ક્યારે લાગશે? આ રાશિના જાતકો પર આવશે વિકટ, જાણી લો બચવાના ઉપાય

  • કુંભ મેળાનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો?

કેટલાક ગ્રંથોમાં કુંભ મેળાનું આયોજન 850 વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ મળે છે. મહાકુંભની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલીક કથાઓ મુજબ કુંભનું આયોજન સમુદ્ર મંથનના બાદથી થઈ રહ્યું છે. તો અમુક વિદ્વાનોના મતે કુંભ મેળાની શરૂઆત ગુપ્તકાળ દરમિયાન થઈ હતી, જેનો પુરાવો સમ્રાટ હર્ષવર્ધનના કાર્યમાં જોઈ શકાય છે. આ બાદ જ શંકરાચાર્ય અને તેમના શિષ્યો દ્વારા સંગમના કિનારે શાહી સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • પ્રયાગરાજમાં ક્યારે યોજાય છે કુંભ મેળો?
    જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prayagraj shahi Snan Mahakumbh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ