બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વોડાફોન આઈડિયા દ્વારા સફાઈ આપવામાં આવી
વોડાફોન આઈડિયાએ કહ્યું કે વોડાફોન જૂથ ભારતમાંથી તેમનો બિઝનેસ સમેટવા માંગે છે તે વાત પર અમને કોઈ જાણકારી નથી. વોડાફોન જૂથને લગતી વાતો પર અમે કોઈ ટીપ્પણી કરી શકીશું નહિ
ADVERTISEMENT
જંગી ખોટ, સુપ્રીમ કોર્ટનો આદેશ અને શેરના ગગડતા ભાવ
IANS દ્વારા આ અંગે ભારતમાં વોડાફોન-આઇડિયાના પ્રવક્તાને મોકલવામાં આવેલ ઇ-મેઇલ કોર્પોરેટ કોમ્યુનિકેશનના ગ્રૂપ હેડ બેન કેડોવેનને મોકલવાનું જણાવાયું હતું. વોડાફોન ગ્રૂપે આ ઇ-મેઇલનો હજુ સુધી જવાબ આપ્યો નથી.
ADVERTISEMENT
વોડાફોન ગમે તે ક્ષણે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે
અહેવાલ અનુસાર જોઇન્ટ વેન્ચર કંપની વોડાફોન-આઇડિયામાં ઓપરેટિંગ લોસ સતત વધવાથી અને દર મહિને લાખો ગ્રાહકો કંપનીને છોડી રહ્યા હોવાથી અને માર્કેટ કેપમાં ઘટાડો થવાથી વોડાફોન પોતાના ભારતીય બિઝનેસમાંથી બહાર નીકળવા માગે છે.
ADVERTISEMENT
શેરનો ભાવ ગગડીને માત્ર રૂ. 3.81 થયો
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) પર આપવામાં આવેલા ચુકાદા બાદ વોડાફોન-આઇડિયાને હવે ત્રણ માસમાં રૂ. 28,309 કરોડ ચૂકવવા પડશે. આ ચુકાદા બાદ કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે અને બાવન સપ્તાહની નીચેની સપાટીએ આવી ગયો છે. ગુરુવારે આ શેરનો ભાવ માત્ર રૂ. 3.81 હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.