સોશિયલ મીડિયામાં વાહનના ટોલ ટેક્સને લઈને એક મેસેજ ધૂમ મચાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી માત્ર હેવી વાહનો પર જ ટોલ ટેક્સ લાગશે. ત્યારે હવે આ મામલે ખુલાસો સામે આવ્યો છે.
અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ અંગે અફવા
સોશિયલ મીડિયામાં અફવા બાદ સરકારનો ખુલાસો
રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગે કર્યું ખંડન
રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગેના વાયરલ થયેલા મેસેજનું ખંડન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ અંગે વાયરલ થયેલો મેસેજ અફવા છે. પહેલાની જેમ જ કાર અને ખાનગી વાહન માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ યથાવત રહેશે. આ અંગે કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
શું હતો વાયરલ મેસેજ ?
સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પરના ટોલ ગેટ પર ભારે વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, આગામી 1 એપ્રિલથી અમદાવાદ-મહેસાણા પર હેવી વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જો કે, આ મેસેજ આ અફવા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.