બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / viral message Ahmedabad-Mehsana tollgate

VIDEO / ટોલ ટેક્સને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ મુદ્દે સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું

Kavan

Last Updated: 11:24 PM, 29 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વાહનના ટોલ ટેક્સને લઈને એક મેસેજ ધૂમ મચાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી માત્ર હેવી વાહનો પર જ ટોલ ટેક્સ લાગશે. ત્યારે હવે આ મામલે ખુલાસો સામે આવ્યો છે.

  • અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ અંગે અફવા
  • સોશિયલ મીડિયામાં અફવા બાદ સરકારનો ખુલાસો
  • રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગે કર્યું ખંડન

રોડ અને બિલ્ડિંગ વિભાગે ટોલ ટેક્સ લેવા અંગેના વાયરલ થયેલા મેસેજનું ખંડન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ અંગે વાયરલ થયેલો મેસેજ અફવા છે. પહેલાની જેમ જ કાર અને ખાનગી વાહન માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ યથાવત રહેશે. આ અંગે કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. 

શું હતો વાયરલ મેસેજ ? 

સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પરના ટોલ ગેટ પર ભારે વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, આગામી 1 એપ્રિલથી અમદાવાદ-મહેસાણા પર હેવી વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જો કે, આ મેસેજ આ અફવા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad-Mehsana tollgate viral message ટોલ ટેક્સ વાહન સોશિયલ મીડિયા gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ