સંકટગ્રસ્ત યસ બેંકએ મંગળવારે સવારે IMPS અને NEFT સેવા ફરીથી શરુ કરી દીધી છે. અને બેન્કે તેમની સાથે જ ખાતાધારક અન્ય ખાતાઓના માધ્યમથી ક્રેડીટ કાર્ડથી બિલ ભરી શકો છો અને અન્ય લોન ચુકાવી શકો છો.
યસ બેંકે IMPS/NEFT સેવા ફરીથી શરૂ કરી
YES Bank ક્રેડીટ કાર્ડનું બિલ અને અન્ય લોન બીજા બેંક ખાતાથી ચૂકવી શકો છો
યસ બેંકના સંસ્થાપકના પરિવાર પર કેસ
મંગળવારે બેંકે કરેલા ટ્વીટ મુજબ IMPS/NEFT સેવાઓ ફરીથી શરુ કરી દીધી છે. અને હવે YES Bank ક્રેડીટ કાર્ડનું બિલ અને અન્ય લોન બીજા બેંક ખાતાથી ચૂકવી શકે છે. તમારા સહયોગ માટે આભાર
બેંક તરફથી આ નિવેદન એવા સમયે કરવામાં આવ્યું છે. જ્યારે અઠવાડિયા પહેલા જ RBI બેંકના બોર્ડનો ભંગ કરી ચુકી છે.
સાથે જ ઘણાં મામલાને છોડીને RBIએ બેંકની નિકાસી રકમની સીમા નિશ્ચિત કરી દીધી છે. અને મુખ્ય બેંકના આદેશ અનુસાર યસ બેંકથી માત્ર 50000 રૂપિયા રોકડ રકમ ઉપાડી શકો છો. જો કે આ સીમા 3 એપ્રિલ 2020 સુધી જ સીમિત છે.
જો કે SBIના ચેરમેન રજનીશ કુમારે એક ન્યુઝ ચેનલને સોમવારે જણાવ્યું હતું કે યસ બેંક પર RBIએ લગાવેલી સીમા પર અઠવાડિયામાં જ હટી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે હું યસ બેંકના ખાતા ધારકોને સુનિશ્ચિત કરવા માંગુ છું. અને પોતાના પૈસાને લઈને ચિંતા ન કરો. એક વખત અમને આગળ વધવા દ્યો. આર્થિક સ્થિતિ ઠીક છે.
યસ બેંકના સંસ્થાપકના પરિવાર પર કેસ
સીબીઆઈએ સોમવારે યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની પત્ની અને ત્રણ પુત્રી વિરુદ્ધ રિશ્વત લેવાના મામલે કેસ કર્યો છે. સાથે જ તેમના પરિવાર પર કથિત રીતે રિશ્વત લેવાના મામલે મુંબઈમાં સાત જગ્યાઓ પર છાપા માર્યા છે.
આ મામલો ઘોટાલાઓથી ઘેરાયેલી DHFL દ્વારા રાણા કપૂરના પરિવારને આપવામાં આવેલી 600 કરોડની રિશ્વતથી જોડાયેલો છે.
સીબીઆઈએ પોતાની પ્રાથમિકી પાંચ કંપનીઓ, રાણા કપૂર, તેમની પત્ની બિંદુ એ ત્રણ પુત્રી રોશની, રાખી અને રાધા સહિત સાત વ્યક્તિને ઘેરામાં લીધા છે. તેમની સાથે એજેન્સી હાલ વધુ શોધખોળ કરી રહી છે.