બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / vande bharat train to be cleaned in 14 minutes

રેલવે અભિયાન / માત્ર 14 જ મિનિટમાં આખી સાફ થઈ જશે વંદે ભારત ટ્રેન: જાપાનની બુલેટ ટ્રેન જેવી ટેકનોલોજી ભારતમાં, રેલમંત્રીએ કર્યું એલાન

Manisha Jogi

Last Updated: 09:16 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વંદે ભારત ટ્રેનથી આ કામની શરૂઆત થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી કૈંટ રેલવે સ્ટેશનમાં આ કામની શરૂઆત કરશે. ભારતીય રેલવે આજથી મહત્ત્વપૂર્ણ અભિયાનની શરૂઆત કરી રહ્યું છે.

  • ભારતીય રેલવે આજથી અભિયાનની શરૂઆત કરી રહ્યું છે
  • ટ્રેનની ત્વરિત સફાઈ માટે અભિયાનની શરૂઆત
  • દિલ્હી કૈંટ રેલવે સ્ટેશનમાં આ કામની શરૂઆત થશે

ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી ટ્રેનની ત્વરિત સફાઈ માટે ’14 મિનિટના ચમત્કાર’ની અવધારણા સાથે મહત્ત્વપૂર્ણ પગલું લઈ રહ્યું છે. 32 વંદે ભારત ટ્રેનથી આ કામની શરૂઆત થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી કૈંટ રેલવે સ્ટેશનમાં આ કામની શરૂઆત કરશે. 

જાપાનની બુલેટ ટ્રેનમાં જોવા મળેલ તીવ્ર સફાઈનું અનુકરણ કરીને ભારતીય રેલવેએ પણ તૈયારી કરી છે. જાપાનમાં બુલેટ ટ્રેન સાફ કરવામાં 7 મિનિટનો સમય મળે છે. ભારતીય રેલવે પણ ટ્રેનની સફાઈના માપદંડને પરિભાષિત કરવા માટે તૈયાર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ’14 મિનિટમાં વંદે ભારત ટ્રેનને સાફ કરવામાં આવશે. જેથી સમયબદ્ધતા અને ટર્નઅરાઉન્ડ ટાઈમમાં સુધારો થઈ શકે.’

વારાણસી, ગાંધીનગર, મૈસૂર અને નાગપુર સ્ટેશનની શરૂઆત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ’આ એક અનોખી અવધારણા છે અને ભારતીય રેલવેમાં પહેલી વાર આ પ્રકારે થઈ રહ્યું છે. ફ્રંટલાઈન કાર્યબળની સંખ્યામાં વૃદ્ધિ કર્યા વગર સફાઈ કર્મીઓની દક્ષતા, કૌશલ્ય અને કામકાજ બાબતે તેમના વર્તનમાં ફેરફાર કરતા આ સર્વિસ સંભવ થઈ છે. દિલ્હીના કૈંટની સાથે સાથે અન્ય રેલવે સ્ટેશનમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે. જેમાં વારાણસી, ગાંધીનગર, મૈસૂર અને નાગપુર રેલવે સ્ટેશન શામેલ છે. જે વંદે ભારત ટ્રેનના આગમનના સમય પર નિર્ભર કરે છે.’

નવી વ્યવસ્થા લાગુ કરવા માટે ડ્રાઈ રન
આ વ્યવસ્થા લોન્ચ કરતા પહેલા રેલવેએ કેટલાક ડ્રાઈ રન કર્યા છે. જેમાં ટ્રેનને લગભગ 28 મિનિટમાં સાફ કરવામાં આવી અને તેમાં સુધારો કરીને તે સમય 18 મિનિટ સુધીનો કરવામાં આવ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ’હવે તેમાં કોઈપણ ટેકનિક શામેલ કર્યા વગર સાફ સફીમાં માત્ર 14 મિનિટનો સમય લાગશે. વંદે ભારત ટ્રેનથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે અન્ય ટ્રેનમાં પણ લાગુ કરવામાં આવશે. જેથી સમયપાલનતમાં સુધાર થશે.’

અધિકારીઓએ લીધી સ્વચ્છતાની શપથ
ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં એક પખવાડિયા સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. જેમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEOએ નવી દિલ્હીમાં રેલવે ભવનથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવે અધિકારીઓને સ્વચ્છતાની શપત લેવડાવી હતી. રેલવે અનુસાર SHS અભિયાન પહેલા 15 દિવસ દરમિયાન 2.19 લાખથી વધુ લોકોએ 685,883 કલાકમાં લગભગ 2050 એક્ટિવિટીમાં ભાગ લીધો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ