બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / નહીં સુધરે આ અસામાજીક તત્વો, વડોદરામાં ફરી ગણેશ પંડાલ નજીક કરાયો કાંકરીચાળો!
Last Updated: 10:27 AM, 1 September 2025
વડોદરામાં થોડા સમય પહેલા વિધર્મીઓ દ્વારા ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા વિધર્મીઓને ઝડપી પાડી તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ રાત્રીના સુમારે ફરી વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગણેશ પંડાલ પાસે કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર નજીક આ ઘટના બનવા પામી હતી. સિદ્ધિ વિનાયક યુવક મંડળના પ્રમુખે આ મામલે પોલીસને જાણ કરી હતી. તેમજ અસામાજિક તત્વોએ કાંકરીચાળો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું
આ બાબતે વડોદરા ડીસીપી ઝોન-3 ના અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસને આ બાબતની જાણ થતા તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં બંને જૂથના લોકો રહે છે. અમે મામલાની ખરાઈ કરી રહ્યા છે. તેમજ ઘટના અફવા છે કે સાચી તેના માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
અત્યારસુધી 8 આરોપીઓની પોલીસે કરી ધરપકડ, જેમાં 1 સગીર
થોડા સમય પહેલા વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાના કેસમાં વડોદરા પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી, સમીર અને અનસની અજમેરથી ધરપકડ કરી છે. અજમેર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ત્રણેય આરોપી પકડાયા હતા. વડોદરા પોલીસની ટીમ ત્રણેય આરોપીઓને લાવવા અજમેર પહોંચી છે. અત્યાર સુધી 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં એક સગીર છે.
ADVERTISEMENT
Vadodara : વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકનાર શખ્સોનું પોલીસે કાઢ્યું સરઘસ | VTV Digital#vadodara #GaneshIdol #ReligiousRespect #PoliceAction #GaneshUtsav #CommunityAlert #vtvdigital pic.twitter.com/KXQWhtvDHB
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 27, 2025
ઇંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો
ADVERTISEMENT
વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓએ ગણેશોત્સવ દરમિયાન તોફાન કરવા પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું. વાડી ખાનગાહ મોહલ્લામાં માફિયા ગેંગની બેઠક મળી હતી. શ્રીજીની કોઈપણ સવારી નીકળે તેના પર ઇંડા ફેંકવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓની કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ કરી પૂછપરછ. આરોપીઓ સિમીના સ્લીપર સેલ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. માફિયા ગેંગના ગ્રુપમાંથી રાતોરાત મેસેજ ડિલીટ થયા, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી.
આ પણ વાંચોઃ 1126 લોકોને ખોટી રીતે રાશન લેવું ભારે પડ્યું, ફટકારાઇ નોટિસ, માંગ્યો જવાબ
ADVERTISEMENT
સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. પોલીસે પકડેલા આરોપીઓ કટ્ટર માનસિકતા ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ અગાઉ સોશિયલ મીડિયા પર અનેક વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યા છે. સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આજે પોલીસે બંને આરોપીની તેજ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ જાહેર માફી પણ માંગી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.