બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 1126 લોકોને ખોટી રીતે રાશન લેવું ભારે પડ્યું, ફટકારાઇ નોટિસ, માંગ્યો જવાબ
Last Updated: 09:38 AM, 1 September 2025
સાણંદ તાલુકામાં ખોટી રીતે સરકારી રાશન મેળવતા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મામલતદાર કચેરી દ્વારા 1126 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસની અંદર યોગ્ય ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે. જો આ લોકો યોગ્ય જવાબ આપી શકશે નહીં, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
33 લોકો એવા છે જેઓ કંપની કે પેઢીના માલિક
જોકે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન આપવામાં મૂલ્યવાન સહાય આપે છે. ત્યારે કેટલાક લોકો ભ્રષ્ટ રીતે લાભ ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. સરકારી તપાસમાં જાણવા મળ્યું છે કે 33 લોકો એવા છે જેઓ કંપની કે પેઢીના માલિક છે છતાં રાશન કાર્ડ ધારક તરીકે લાભ લઇ રહ્યા છે.
ADVERTISEMENT

7 દિવસમાં ખુલાસો નહી કરે તો કાયદેસરની કાર્યવાહી
ADVERTISEMENT
આ ઉપરાંત 713 લોકોની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધુ હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે રાશન માટે નક્કી કરેલ આવક મર્યાદા આ કરતા ઘણી ઓછી છે. વધુમાં, 7 વ્યક્તિઓના બેંક ખાતામાં 25 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર નોંધાયું છે, જે સ્પષ્ટ રીતે આયોગ્યતા દર્શાવે છે.

ADVERTISEMENT
55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી
ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યભરના અપાત્ર NFSA રેશનકાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યાં છે. જેમ કે
ADVERTISEMENT
ADVERTISEMENT
જેઓને નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે. ત્યારબાદ, તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે.
જે કાર્ડ non-NFSA હેઠળ આવશે, તેઓને હવે મફતમાં કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવાશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ છે કે યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકાઈ શકે.
આ પણ વાંચોઃ નહીં સુધરે આ અસામાજીક તત્વો, વડોદરામાં ફરી ગણેશ પંડાલ નજીક કરાયો કાંકરીચાળો!
આ કાર્યવાહીથી એ સ્પષ્ટ થાય છે કે અનેક લોકોને લાંબા સમયથી ગરીબોની માટેની યોજના હેઠળ અનાજ મળી રહ્યું છે, ભલે તેઓ તેની પાત્રતા ન ધરાવતા હોય. સરકારના આ પગલાથી વાસ્તવમાં જરૂરીયાતમંદ પરિવારોને યોગ્ય રીતે સહાય પહોંચાડવા તરફ નવો રસ્તો ખુલશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.