બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / GST ઘટાડા બાદ જો જૂના ભાવે જ વસ્તુ મળે તો શું કરવું? અહીં કરી દો ફરિયાદ
Last Updated: 10:31 PM, 21 September 2025
GST Reforms: જીએટીના ઘટાડો કરાયેલા દરનો લાભ લોકોને આવતીકાલ એટલે કે 22 સપ્ટેમ્બરથી મળવાનો છે. જીએસટીના ઘટાડાથી સાબુ, શેમ્પૂ, બાળકોની પ્રોડક્ટ્સ, જીવન વીમા અને આરોગ્ય વીમા જેવી ઘણી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. જીએસટીના ઘટાડા પછી પણ જૂના ભાવે જ ચીજવસ્તુઓ વેચાતી હોય તો ગ્રાહકો ફરિયાદ કરી શકે છે.
ADVERTISEMENT
GST Reforms: સરકાર દેશમાં એકસમાન અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પરિણામે જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જીએસટી સુધારા પછી નવા ભાવ, બિલિંગ અને મળી રહેલી છૂટ અંગે તમારી ફરિયાદો કરી શકો છો.

ADVERTISEMENT
તમારી ફરિયાદ અહીં કરો
નવી સિસ્ટમ હેઠળ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (https://consumerhelpline.gov.in) પર ફરિયાદ કરી શકો છો. તમે જીએસટી સંબંધિત તમારી ફરિયાદો નોંધાવી શકો છો. આમા એક સબ-કેટેગરી છે જેમા ઓટોમોબાઈલ, બેંકિંગ, FMCG અને ઈ-કોમર્સ જેવા સેક્ટર્સને આવરી લેવાયા છે.
ADVERTISEMENT
તમે કૉલ અથવા SMSથી પણ ફરિયાદ કરી શકો
તમે ટોલ-ફ્રી નંબર 1915, NCH એપ, વેબ પોર્ટલ, વોટ્સએપ, એસએમએસ, ઇમેઇલ અથવા ઉમંગ એપ દ્વારા પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર પણ મેસેજ કે વોટ્સએપથી ફરિયાદ દાખલ કરી શકાશે. નેશનલ કન્ઝ્યુમર નંબર હેલ્પલાઇન નંબર 1915 તેમજ 1800114000 પર પણ ફરિયાદ કરી શકાશે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન એપ કે ઉમંગ એપ પર પણ ફરિયાદ કરી શકાશે.
ADVERTISEMENT

આ સેવા હિન્દી, અંગ્રેજી, તમિલ, બંગાળી, ગુજરાતી અને આસામી સહિત 17 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. એકવાર તમારી ફરિયાદ નોંધાઈ જાય, પછી તમને એક યૂનિક ડોકેટ નંબર આપવામાં આવશે, જેનાથી તમારી ફરિયાદ પર કાર્યવાહી કેટલે પહોચી એ જાણી શકશો.
ADVERTISEMENT
ઇંડસ્ટ્રી એક્સપર્ટ્સ કહે છે કે ફરિયાદ સંબંધીત પોર્ટલ શરૂ થવાથી ગ્રાહકોને સમજવામાં મદદ મળશે કે સામાન પર જીએસટી દરમાં ઘટાડાનો ફાયદો થઈ રહ્યો છે કે કઇ જગ્યાએ તેનો અમલ કરાતો નથી. આનાથી રિટેલ લેવલ પર ટેક્સ રિફોર્મ વધુ પ્રભાવી રીતે લાગુ થઇ શકશે.
આ રીતે તમારી ફરિયાદ કરો
ADVERTISEMENT
https://consumerhelpline.gov.in પોર્ટલ પર
નેશનલ કન્ઝ્યુમર ટ્રોલ ફ્રી નંબર 1995 પર.
કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર પણ મેસેજ કે વોટ્સએપથી
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ટ્રોલ ફ્રી નંબર 1800114000 પર
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન એપ અથવા ઉમંગ એપ પર પણ ફરિયાદ કરી શકાશે.

આ પણ વાંચોઃ એલાન / PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મોટી વાતો, નવા GSTના ફાયદા ગણાવ્યા, શું શું કહ્યું?
આ રીતે બચતનો ટ્રેક કરો
આ ઉપરાંત સરકારે બીજું એક પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં તમે જીએસટી લાગુ થયા પહેલા અને પછીના માલસામાનની કિંમતોની તુલના કરી શકો છો. આનાથી તમને ખ્યાલ આવશે કે તમે દરેક વસ્તુ પર કેટલી બચત કરી રહ્યા છો. આ કરવા માટે તમે સરકાર દ્વારા બનાવેલી વેબસાઇટ http:savingwithgst.in ની જઇ શકો છો. તેમાં ઘણી બધી વિવિધ કેટેગરી છે, જેમ કે ખાદ્ય વસ્તુઓ, ઘરગથ્થુ સામાન, ઇલેક્ટ્રોનિક્સ, સ્નૈક્સ વગેરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.