બ્રેકિંગ ન્યુઝ
આ અંગે અમને કોઇ સૂચન મળશે તો અમે તેના પર વિચાર કરીશું. વિપક્ષી નેતાઓની સામે પણ આ મુદ્દો ઉઠાવામાં આવશે. અમારી સરકાર શરૂથી આ વિષયને લઇને ઘણી ગંભીર છે અને મુદ્દાને ઉકેલવા માટે કટિબદ્ધ રહી છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને પુરુ કરવા માટે જો કોઇ મરાઠા સમુદાયને ઉશ્કેરવા અથવા ઉત્તેજિત કરવાનું કામ કરી રહ્યું છે તો તે કોઇ કિંમત પર સાંખી લેવામાં આવશે નહીં.
ખરખેર સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને રોજગારમાં મરાઠા સમુદાયને અનામનત આપનારા 2018ના મહારાષ્ટ્ર સરકારના કાયદા પર રોક લગાવી દીધી હતી. જેના એક દિવસ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગે સમીક્ષા બેઠક કરી હતી.
ADVERTISEMENT
લોક નિર્માણ વિભાગના મંત્રી અશોક ચવ્હાણે કહ્યું કે મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન પર યોજાયેલી બેઠકમાં સરકારની સમક્ષ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પો પર વિચારકરવામાં આવ્યો. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર, મરાઠા કોટા પર રાજ્ય મંત્રીમંડળની ઉપસમિતિના પ્રમુખ અશોક ચવ્હાણ અને ઉપસમિતિના સભ્યો બાલાસાબેહ થોરાટ, એકનાથ શિંદે, દિલીપ વાલ્સે પાટિલ,વિજય વડેટ્ટીવાર અને અનિલ પરબ સામેલ થયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.