મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને ન્યાય આપવા માટે મહારાષ્ટ્ર સરકાર એક ક્ષણ માટે પણ પાછળ હટશે નહીં. ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે આ લડાઇ આપણા બધા માટે છે. સમાજના લોકોને ન્યાય અપાવા માટે અમેલોકો કંઇ પણ કરીશું.
આ અંગે અમને કોઇ સૂચન મળશે તો અમે તેના પર વિચાર કરીશું. વિપક્ષી નેતાઓની સામે પણ આ મુદ્દો ઉઠાવામાં આવશે. અમારી સરકાર શરૂથી આ વિષયને લઇને ઘણી ગંભીર છે અને મુદ્દાને ઉકેલવા માટે કટિબદ્ધ રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને પુરુ કરવા માટે જો કોઇ મરાઠા સમુદાયને ઉશ્કેરવા અથવા ઉત્તેજિત કરવાનું કામ કરી રહ્યું છે તો તે કોઇ કિંમત પર સાંખી લેવામાં આવશે નહીં.
ખરખેર સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને રોજગારમાં મરાઠા સમુદાયને અનામનત આપનારા 2018ના મહારાષ્ટ્ર સરકારના કાયદા પર રોક લગાવી દીધી હતી. જેના એક દિવસ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગે સમીક્ષા બેઠક કરી હતી.
લોક નિર્માણ વિભાગના મંત્રી અશોક ચવ્હાણે કહ્યું કે મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન પર યોજાયેલી બેઠકમાં સરકારની સમક્ષ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પો પર વિચારકરવામાં આવ્યો. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર, મરાઠા કોટા પર રાજ્ય મંત્રીમંડળની ઉપસમિતિના પ્રમુખ અશોક ચવ્હાણ અને ઉપસમિતિના સભ્યો બાલાસાબેહ થોરાટ, એકનાથ શિંદે, દિલીપ વાલ્સે પાટિલ,વિજય વડેટ્ટીવાર અને અનિલ પરબ સામેલ થયા.