એક બાજુ રાજ્યમાં જળ સંકટનો માહોલ ચાલી રહ્યો છે અને ખુદ મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે "નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી છે તેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે.
ત્યારે બીજી તરફ આવતી કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આણંદનાં વાલવોડ મહિસાગર નદી કાંઠે ભારતનાં સૌથી મોટા વોટર અને એડવેન્ચર પાર્કનું લોકાર્પણ કરવાનાં છે.
ત્યારે મુખ્યમંત્રી સામે એવાં આક્ષેપો થઈ રહ્યાં છે. બીજી તરફ આ વોટર પાર્કમાં પાણીને સુએજ ટ્રીટમેન્ટ થકી શુદ્ધ કરી પાર્કનાં એડવેન્ચર પાર્કનાં ગાર્ડનમાં વૃક્ષોને પણ આપવામાં આવશે.
આ સાથે આ વોટરપાર્કનું નિર્માણ થવાથી આણંદ જિલ્લાનાં 2 હજાર લોકોને રોજગારી મળશે. આ સાથે જ પેમેન્ટ માટે પણ ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.