તારક મહેતા... શોમાં દયાબેનનો રોલ કરનારી દિશા વાકાણીને ફેન્સ નહીં પણ કો સ્ટાર્સ પણ ઓફ સ્ક્રીન યાદ કરે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીની ખામી
કો સ્ટાર્સ પણ ઓફ સ્ક્રીન યાદ કરે છે
સ્ટાર્સની આ આદતો છે શોની ખાસિયત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોની વચ્ચે પોપ્યુલર નહીં પણ પોતાની છબિને ખાસ બનાવી ચૂકેલી દયા બેન એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી ગાયબ છે. શોમાં તેનો રોલ ખૂબ જ ખાસ બની ચૂક્યો હતો. જેના કારણે લાંબા સમયથી પરત ન આવવાથી ફેન્સ જ નહીં પણ તેમના કો સ્ટાર્સ પણ તેમને મિસ કરી રહ્યા છે. તારક મહેતા શોના માધવી ભાભીએ એક વાર કહ્યું હતું કે તેઓ શો પર દયા ભાભીને કેટલું મિસ કરે છે.
શું છે શોની ખાસિયત
શોની ખાસિયત રહી છે કે કલાકાર એકમેકને પણ ખૂબ પ્રેમ કરે છે. જેઠાલાલ એટલે કે દિલિપ જોશીએ એક વાર કહ્યું હતું કે એવું ક્યારેય થયું નથી કે સેટ પર કોઈને એકમેક સાથે વાંધો પડ્યો હોય. શોમાં દિશા વાકાણી ન હોવાથી તેમની ખામી દરેક કો -એક્ટર્સને લાગે છે. તેઓએ એમ પણ કહ્યું હતુ કે ટીમમાં કોઈ એવી વ્યક્તિ નથી જે આળસુ હોય નહીં તો શો 3000 એપિસોડ કરી શકતી નહી.
શું કહે છે દિલિપ જોશી શો માટે
દિલિપ જોશી એટલે કે જેઠાલાલ કહે છે કે અમે લંચ પણ સાથે કરીએ છીએ. દરેક સભ્ય પંચ્યુઆલિટીનો ખ્યાલ રાખે છે. શોનો કલાકાર ટાઈમનો પાબંધ છે. ભિડે, અમિત ભાઈ, માધવીજી, સોનાલીજી, મિ. કોમલ પણ સમયના પાબંધ છે. અમારામાં કોઈને ઈગો પ્રોબ્લેમ નથી. દરેક વ્યક્તિ જમીન સાથે જોડાયેલો છે. આ સેટ પર નહીં પણ સેટની દરેક લેડીઝ પણ સમજદાર છે.
શું કહ્યું માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશીએ
તેઓએ કહ્યું કે અમે દિશાને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ. એકસ્ટ્રેસે કહ્યું કે મિસ તો કરીએ છીએ, કેમકે તેમના બહુ કીડા હોય છે, બહુ સાયલન્ટ કીડા હોય છે, સિચ્યુએશનલ હોય છે.