બાળકોનું શાળામાં વેકેશન પડતાં જ લોકો ફરવા જવાનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો ઉનાળાની ગરમીને લઇને નોર્થ ઇન્ડિયા જ જવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો પાસે પૂરતું બજેટ ના હોવાને કારણે પોતાના બાળકને લઇને ગુજરાતમાં જ વિવિધ સ્થળે ફરે છે. પરંતુ આજે અમે તમને ગુજરાતની જ એક એવી જગ્યા માટે જણાવવા જઇ રહ્યા છીએ જેમાં તમારે કાશ્મીર કે શિમલા કુલુ મનાલી જવાની જરૂર પડશે નહીં. ગુજરાતની આ જગ્યાએ તમે ગરમીમાં જરૂરથી મુલાકાત લઇ શકો છો.
જો તમે ફરવાનું વિચારી રહ્યા હોવ તો ગુજરાતના જૂનાગઢ શહેરી તમે અચુકથી મુલાકાત લઇ શકો છો. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યાં ફરી શકાય એટલા સારા સ્થળો આવેલા છે. આજે અમે તમને જૂનાગઢમાં શું ફરવા જેવું છે જણાવવા જઇ રહ્યા છીએ.
જૂનાગઢનાં ધારાગઢ રોડ પર ઇ.સ.ત્રીજી સદીની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે ખાપરા કોડીયાની ગુફા તરીકે ઓળખાય છે. બસ સ્ટેન્ડથી આ ગુફા 1.7 કિમી દૂર આવેલી છે.
રાજ્યનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. જેમાં નાના-મોટા ખૂબ મંદિરો આવેલા છે. છેલ્લા વર્ષે 10 લાખથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગિરનારમાં જૈન દેરાસરો દત્ત શિખર ગૌમુખી ગંગા શેષાવન કાશ્મીરી બાપુની જગ્યા જેવા અનેક સ્થળો જોવા લાયક છે.
ગિરનાર જવાના રોડ પર અશોક શિલાલેખ આવેલું છે. જે છેલ્લા બે વર્ષથી બંધ હાલાતમાં છે. આ શિલાલેખમાં 14 ધર્મશાસનનો આલેખેલો છે. બસ સ્ટેન્ડથી માત્ર 4 કિમીના અંતરે આવેલો છે.
જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો ઉગ્રસેને બંધાવ્યો હોવાના પુરાવાઓ મળી આવ્યા છે. જેમાં બૌદ્ધ ગુફાઓ નિલમ માણેક ટોપ અનાજના કોઠાર જોવાલાયક છે.
જૂનાગઢમાં આવેલા મકબરાનાં પરીસરમાં કોઇ પ્રવેશ ન કરે તે માટે દરવાજે તાળા મારી દીધા છે. કારણ કે ખંડેર બની ગયા હોવાથી ત્યાં અનેક પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ થઇ રહી હતી.
જૂનાગઢ રાજ્યનાં નવાબનાં સમયમાં સક્કરબાગ બનાવવામાં આવ્યુ હતું. સક્કરબાગ આશરે 198 હેકટરમાં ફેલાયેલુ છે. દેશ-વિદેશનાં પક્ષી તેમજ પ્રાણી આકર્ષણનું કેન્દ્ર છે તેમજ એશિયાઇ સિંહ અહીં જોવા મળે છે. ગત વર્ષે લાખો પ્રવાસીઓએ આ જગ્યાની મુલાકાત લીધી હતી.