શહેરમાં ટ્રાફિકના નવા નિયમોના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા રોજેરોજ ડ્રાઇવ કરવામાં આવી રહી છે ત્યારથી વાહનચાલકો અને પોલીસ વચ્ચે માથાકૂટની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. શહેરના એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બળવંતભાઈ રમેશભાઈએ ત્રણ યુવકો વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં ટ્રાફિકના નવા નિયમોના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા રોજેરોજ ડ્રાઇવ કરવામાં આવી રહી છે
વાહનચાલકો અને પોલીસ વચ્ચે માથાકૂટની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે
બળવંતભાઈ સુભાષચોક ચાર રસ્તા પાસે તેમના અધિકારીઓ અને સ્ટાફ સાથે હાજર હતા તે દરમિયાન એક બાઈકચાલક ટ્રાફિક સિગ્નલ બંધ હતું તે છતાં સ્ટોપલાઇન પાસે આવીને ઊભો હતો. આથી ટ્રાફિક જામ થતાં બાઈકચાલકને રોકી સાઈડમાં ઊભો રાખતાં બાઇકચાલક પોલીસ કર્મચારી પર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને બોલાવી લીધા હતા. ત્યારબાદ બાઇકચાલકે પોલીસ કર્મચારીને બીભત્સ ગાળો બોલીને તારાથી જે થાય તે કરી લેજે, હું તને જોઈ લઈશ તેમ કહ્યું હતું અને ત્રણેય જણા ગુરુકુળ તરફ ભાગી ગયા હતા.