બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The work of the second part of the rope way will also be started in Pavagadh
Mahadev Dave
Last Updated: 12:06 AM, 27 October 2023
ADVERTISEMENT
રાજ્ય સરકારના વિકાસની દિશામાં સાનુકૂળ પ્રયાસને લઈને પાવાગઢના વિકાસમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. વધુમાં શ્રધ્ધાળુઓની સંખ્યામા પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના વધારા રોપ વે વ્યવસ્થા માટે દરખાસ્ત કરાઇ હતી. જેને મંજૂરીની મહોર લાગતાની સાથે જ હવે 500 પગથિયાં ચડવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. મહત્વનું છે કે હાલ 2400 પગથિયાં છે અને રોપ વે થકી માચીથી દૂધિયા તળાવ સુધી જવાય છે. જ્યારે બાકીના 500 પગથિયાં ચડવાં પડે છે. આથી સબંધિત વિભાગ દ્વારા રોપ વે વ્યવસ્થાની માંગ સાથેની દરખાસ્ત કરાઈ હતી. જેને હવે મંજૂરી મળતાની સાથે જ રોપ વેના બીજા ભાગની કામગીરીના પણ શ્રી ગણેશ કરવામાં આવશે.
ADVERTISEMENT
ગત 18 જૂનના રોજ 500 પ્રધાનમંત્રીએ શિખરનું ધ્વજારોહણ કર્યું હતું
મંદિરના વિકાસ માટે પ્રથમ તબક્કામાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 125 કરોડના ખર્ચે 3 ફેઝમાં માચીથી મંદિરના શિખર સુધી નવાં પગથિયાં, દૂધિયા તળાવનું બ્યુટિફિકેશન, બંને બાજુ ટુરિસ્ટ ફેસિલિટી, પાણીની વ્યવસ્થા, મંદિરના માળ, ભવ્ય પરિસર બન્યું હતું..જેનું ગત 18 જૂનના રોજ 500 પ્રધાનમંત્રીએ શિખરનું ધ્વજારોહણ કર્યું છે.નોંધનીય છે કે મહોમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવાયું છે.
વૃદ્ધ અને બાળકોને પણ ખાસ ફાયદો
ચાલતા વિકાસ કામો વચ્ચે વડા તળાવના ડેવલોપમેન્ટ માટે 50 કરોડનો પ્રોજેક્ટ પણ વિકાસની દિશામાં છે. 500 પગથિયાં માટે બનતી રોપ વેને પગલે 5 થી 7 મિનિટમાં અંતર કપાઈ જશે અને 500 પગથિયાં પર આવાગમનનો મોટો રસ્તો કપાઈ જશે. આમ લગભગ એક કલાક જેટલો સમય પણ બચી જશે અને શારીરિક અશક્ત, વૃદ્ધ અને બાળકોને પણ ખાસ ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.