બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Travel / અમદાવાદના સમાચાર / Thai Smile ahmedabad to bangkok

જાહેરાત / ગુજરાતીઓ માટે ખુશખબર.. અમદાવાદથી બેંગકોક માટે નવી ફલાઇટ શરૂ કરવાની જાહેરાત

Published By: Divyesh

Last Updated: 07:47 AM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં ફરવા જવાના સૌથી વધારે શોખીન હોય તો તે છે આપણા ગુજરાતીઓ. તેમાં પણ દેશ તેમજ વિદેશમાં પણ સૌથી વધારે ફરનારાઓમાં ગુજરાતીઓની ગણના થાય છે. જેને લઇને ગુજરાતીઓ માટે એક વધુ ખુશખબર આવ્યાં છે. હવેથી અમદાવાદથી બેંગકોક માટે થાઇ સ્માઇલે એર દ્વારા નવી ફલાઇટની જાહેરાત કરવામાં આવી છે.

  • અમદાવાદથી બેંગકોક માટે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત 
  • 29 ઓક્ટોબરથી શરૂ થશે નવી ફ્લાઇટ
  • અમદાવાદથી ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે


બેંગકોક માટે મળશે હવે સીધી ઉડાન

ગુજરાતીઓ માટે નજીકનું ડેસ્ટીનેશન કોઇપણ હોય ફરવા જવાનું ક્યારે ચૂકતાં નથી. જેમાં હવે ગુજરાતીઓ માટે ખુશખબર આવ્યાં છે કે થાઇ સ્માઇલે એર દ્વારા 29 ઓક્ટોબરથી અમદાવાદથી  બેંગકોક માટે નવી ફલાઇટની જાહેરાત કરવામાં આવી છે.

શું હશે ભાડુ અને કેટલા દિવસ થશે ઓપરેટ જાણો વિગત

અમદાવાદ સહિત ગુજરાતના ફરનારા લોકો માટે એક વધુ ખુશખબર આવ્યાં છે. હવેથી બેંગકોક જવા માટે તમારે કોઇ કનેકટિંગ ફલાઇટનો સહારો લેવો નહીં પડે. અમદાવાદથી શરૂ થઇ રહેલી થાઇ સ્માઇલે એર સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે. આ ફલાઇટનું રિટર્ન ભાડુ 11700થી શરૂ થશે. આ ફલાઇટ 29 ઓક્ટોબરથી શરૂ થશે. 

કંપનીને ફલાઇટ શરૂ કરવા પાછળું આ કારણ જણાવ્યું...

અમદાવાદ-બેંગકોક માટે થાઇ સ્માઇલે દ્વારા ફલાઇટ શરૂ કરવાની જાહેરાત બાદ કંપનીએ જણાવ્યું કે ગુજરાતમાંથી પ્રવાસીઓનો ઘસારો જોઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે ગુજરાતમાંથી દર વર્ષે 1.50 લોકો થાઇલેન્ડના પ્રવાસે જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bangkok THAI Smile ahmedabad અમદાવાદ ફલાઇટ બેંગકોક Thai Smile

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ