ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
એક ન્યૂઝ ચેનલને આપેલા પોતાના વીડિયોમાં નીતિન સતપુતે કહ્યું છે કે વર્ષ 2008 માં તનુશ્રી સાથેના જાતીય સતામણીને લોકોએ 2017 માં #MeToo મૂવમેન્ટ તરીકે અપનાવી હતી.
ADVERTISEMENT

તેમણે કહ્યું છે કે સુશાંતના કેસ અંગેની તપાસમાં અલગ અલગ સ્તરે તપાસ ખુલી રહી છે અને જો સુશાંતને સાઈડલાઈ કરાયો હોય અથવા તો ટાર્ગેટ કરાયો હોય તો આ તદ્દન અયોગ્ય છે. સુશાંતની આત્મહત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં આવી ગઈ છે. પ્રાઈમા ફેસી મુજબ આ કેસ આત્મહત્યાનો લાગે છે પરંતુ તર્ક-વિતર્ક અને તપાસ આ કેસના જુદા જુદા પરિબળો સામે લાવી રહ્યું છે.
ADVERTISEMENT
.jpg)
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસની શરૂઆતમાં નેપોટિઝમનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પજવણીનો મામલો લાગી રહ્યો છે. તનુશ્રી દત્તાનું ઉદાહરણ આપતાં નીતિન સતપુતે કહ્યું કે 2008 માં જ્યારે તનુ સાથે જાતીય સતામણી થઈ હતી અને 2017 માં કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જો તપાસમાં એવું બહાર આવે છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય તો આવા લોકોને સજા મળવી જોઈએ.
ADVERTISEMENT
.jpg)
નીતિન સતપુતનું કહેવું છે કે તેમને ઘણાં લોકોએ અપ્રોચ કર્યો છે કે તેમણે સુશાંતના મામલામાં જોવું જોઈએ અને જે લોકોના નામ ઈન્વેસ્ટિગેશનમાં આવે છે અને જેણે સુશાંતને સાઈડ કોર્નર કર્યો છે અથવા નેપોટિઝમનો શિકાર બનાવ્યો છે તેમને કડક સજા અપાવે અને તેના પર કાર્યવાહી કરે.
સંકળાયેલા મુદ્દાઓ