બ્રેકિંગ ન્યુઝ
આગામી T20 વર્લ્ડ કપ યુએસ-વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે, જેના માટે આ મહિનાના અંત સુધીમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. ત્યારે IPLમાં સારું પ્રદર્શન કરનાર કોઈ નવા ખેલાડીની પસંદગી થવાની કોઈ શક્યતા નથી. કેટલાક દિગ્ગજ ક્રિકેટરોને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કામચલાઉ 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની તારીખ 1 મે નક્કી કરી છે, જેમાંથી અજીત અગરકર અને તેના સાથીઓને ટીમનાં દરેક સભ્યનાં ફિટ હોવાની સ્થિતિમાં કેટલાક સ્પષ્ટ વિકલ્પો પસંદ કરવા પડશે. એક અહેવાલમાં એક સૂત્રને ટાંકીને આપવામાં આવેલી માહિતી અનુસાર, એ ખેલાડીઓને પસંદ કરવામાં આવશે કે જે ભારત માટે રમે છે અને જેમને T20 ઇન્ટરનેશનલ અને IPLમાં સતત સારું પ્રદર્શન કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એવું લાગે છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલમાંથી કોઈ એકને જ ટીમમાં જગ્યા મળી શકે છે, પરંતુ જો પ્લેઇંગ ઇલેવનમાં બંનેની પસંદગી કરવામાં આવે છે, તો પછી બે ફિનિશર રિંકુ સિંહ અને શિવમ દુબેમાંથી માત્ર એકને જ જગ્યા મળી શકે છે. જયારે બીજા વિકેટકીપરની જગ્યા માટેનો નિર્ણય પણ કટોકટીનો હોઈ શકે છે. જે જગ્યા મેળવવા માટે સંજુ સેમસને જીતેશ શર્મા, કેએલ રાહુલ અને ઇશાન કિશને સ્પર્ધા આપવી પડશે. કેએલ રાહુલ અને ઈશાન કિશન ટોચના ક્રમમાં બેટિંગ કરે છે અને આ આઈપીએલમાં, આ બંનેએ હજુ સુધી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો નથી, જેના કારણે પસંદગીકારો માટે નીચલા ક્રમમાં તેમના પ્રદર્શનનું વિશ્લેષણ કરવું મુશ્કેલ બનશે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ ભલે ચિંતાનો વિષય છે, પરંતુ તેની પસંદગી અંગે કોઈ શંકા દેખાઈ રહી નથી. તેની જેમ વિરાટ કોહલીને પણ ટીમમાં સામેલ કરવા પર કોઈ શંકા નથી. જયારે કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની પસંદગી નિશ્ચિત છે. જો આ 10 ખેલાડીઓ ફિટ છે તો તેઓ ચોક્કસપણે અમેરિકા જશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સિરાજને આરામ આપ્યો છે કારણ કે તે સતત રમી રહ્યો છે અને તેના વર્કલોડ મેનેજમેન્ટની જરૂર છે.

ADVERTISEMENT
જો આપણે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ વચ્ચેની પસંદગીની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સના કેપ્ટને વધુ રન બનાવ્યા છે, પરંતુ જો યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો પસંદગી સમિતિ IPLમાં તેના ઓછા સ્કોરને જોઇને તેને અવગણી શકે નહીં. ઉપરાંત, ટોપ ચારમાં તે એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે જે સારી બાબત છે, પરંતુ જો ગિલ સતત રન બનાવતો રહેશે તો જયસ્વાલ માટે વસ્તુઓ મુશ્કેલ બની જશે. અન્યથા પસંદગીકારો બંનેને સામેલ કરી શકે છે અને શિવમ અને રિંકુમાંથી કોઈ એકને જ પસંદ કરી શકે છે.
ADVERTISEMENT
'રિઝર્વ' સ્પિનરની જગ્યા માટે ત્રણ ક્રિકેટરો અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ વચ્ચે માટે સ્પર્ધા થશે. અક્ષર ડાબોડી સ્પિનર છે, તો સાથે જ તે ઉપયોગી બેટ્સમેન પણ છે. ચહલ તેની નવ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં હજુ સુધી એક પણ T20 વર્લ્ડ કપ રમ્યો નથી, પરંતુ તે બોલિંગ કૌશલ્યમાં અન્ય બે કરતા ઘણો આગળ છે, પરંતુ તેને વારંવાર મહત્ત્વપૂર્ણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવાને કારણે જૂનમાં થનારી ટૂર્નામેન્ટમાં તેની પસંદગી પર સવાલ ઉભા થાય છે.
ADVERTISEMENT

IPLમાં રિયાન પરાગ, મયંક યાદવ, અભિષેક શર્મા અને હર્ષિત રાણા જેવા તમામ નવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ એવું જાણવા મળે છે કે પસંદગી સમિતિ તેમને વર્લ્ડ T20 જેવી ઉચ્ચ સ્તરીય ટુર્નામેન્ટમાં ટેસ્ટ કરવાને બદલે દ્વિપક્ષીય ક્રિકેટમાં સરળ બનાવવાની પ્રક્રિયાનું પાલન કરશે. ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે સફેદ બોલની બે સિરીઝ રમાશે, જેમાં આ યુવા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરવા માટે લાઇનમાં હશે. નીતિશ રેડ્ડી બોલિંગ ઓલરાઉન્ડર છે, તે ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસે ગયેલી 'ઈન્ડિયા ઇમર્જિંગ' ટીમનો ભાગ હતો. તે પણ આ રસ્તા પર ચાલી શકે છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે બીસીસીઆઈ મયંક યાદવ, હર્ષિત રાણા અને આકાશ મધવાલ જેવા ખેલાડીઓને નેટ બોલર તરીકે લઈ જાય છે કે નહીં કારણ કે તેનાથી તેમને સારી તક મળશે.
વધુ વાંચો: 'પિચ તો સારી હતી પરંતુ...', દિલ્હી કેપિટલ્સ સામે શરમજનક હાર બાદ પોતાની જ ટીમ પર ભડક્યો શુભમન
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.