બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Suryadev's pasture in Aries, know which 6 zodiac signs will have auspicious influence

જયોતિષ શાસ્ત્ર / સૂર્યદેવનું મેષ રાશિમાં ગોચર, જાણો કઈ 6 રાશિ પર પડશે શુભ પ્રભાવ

Vishal Dave

Last Updated: 04:44 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક ગ્રહોના સ્વામી સૂર્ય દેવનું શનિવાર 13 એપ્રિલના રોજ મેષ રાશિમાં ગોચર કરશે તેનાથી 6 રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન સૂર્ય 13 એપ્રિલે સવારે 9:15 કલાકે રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ એક મહિના બાદ એટલે કે 14 મે સાંજે 06:04 વાગે વૃષભ રાશિમાં જશે. તેમની આ રાશિના ફેરફારથી કઈ 6 રાશિઓ પર, કેવી અસર થશે? તેનું અહીંયા જ્યોતિષીય રીતે વિશ્લેષણ જાણવાનો પ્રયાસ કરીએ.

6 રાશિના લોકોની ખુલશે કિસ્મત
 

વૃષભઃ મેષ રાશિમાં સૂર્યના ગોચરથી વૃષભ રાશિના લોકોની આવકમાં વધારો થવાની શક્યતા, આવકના સ્ત્રોત વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આ સિવાય સંતાન પ્રાપ્તિની પણ શક્યતા છે.

મિથુનઃ મિથુન રાશિના લોકોના જીવનમાં દુ:ખ દૂર થઈને સમૃદ્ધિ આવશે. વિદેશમાં નોકરી મળવાની શક્યતા. સુર્યના મેષ રાશિમાં ગોચર બાદ મિથુન રાશિના લોકો સફળ થઈ શકશે. કરિયરમાં સફળતા મળી શકે છે.

તુલા: મેષ રાશિમાં સૂર્યના પ્રવેશથી તમારૂ વિદેશ પ્રવાસનું સ્વપ્ન પૂરું થઈ શકશે. તમારી ઈચ્છાઓ પુર્ણ થશે. વાદ-વિવાદમાં સફળતા મળી શકશે. આ મહિના દરમિયાન કોઈને પૈસા ન આપો.

વૃશ્ચિક: સૂર્યના ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શૈક્ષણિક સ્પર્ધામાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. તમારે પ્રયાસો ચાલુ રાખવા જોઈયે. સંતાન તરફથી ખુશી મળવાની શક્યતા છે.  પિતાના ચરણ સ્પર્શ કરવાથી તમારા કામ પૂરા થશે.


આ પણ વાંચોઃ આજે આ તારીખે જન્મેલા લોકો સ્ટાર બની જશે, બસ એક વસ્તુ પર રાખજો કંટ્રોલ

 

મકર: 13મી એપ્રિલ બાદ મકર રાશિના લોકોને સફળતા મળશે. કરિયરમાં તમને અનેક સફળતા મળશે. જે લોકો વેપાર કરે છે તેમને આર્થિક ફાયદો થઈ શકે છે. આ દરમિયાન પડકારો આવી શકે છે છતા તમે સફળ થશો.

 મીન: સૂર્યદેવના ગોચરથી 13 એપ્રિલ બાદ મીન રાશિના લોકોનુ સન્માન વધશે. મીન રાશિના લોકોને અચાનક પ્રમોશન મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને સરકાર તરફથી ફાયદો થઈ શકે છે. પેન્ડિંગ કામ પાર પડવાની શક્યતા. માનસિક શાંતિ મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ