આ સૂર્યગ્રહણ ભારતનો આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ હશે. આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ 30 એપ્રિલનાં લાગ્યો હતો જે ભારતમાં દેખાયો નહોતો. ભારતમાં દ્શ્યમાન સૂર્યગ્રહણ 25 ઑક્ટોબરનાં રોજ લાગશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણનો નકારાત્મક પ્રભાવ આ 6 રાશિઓ પર પડશે. તે દરમિયાન સૂર્ય તુલા રાશિમાં હશે.
ભારતનો આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ
ભારતને સૂર્યગ્રહણ લાગશે 25 ઑક્ટોબરનાં
નકારાત્મક પ્રભાવ આ 6 રાશિઓ પર પડી શકે
સૂર્યગ્રહણ 2022: વર્ષ 2022નો આ દ્વિતીય સૂર્યગ્રહણ ઑક્ટોબર મહિનામાં લાગવા જઇ રહ્યો છે. 25 ઑક્ટોબરનો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતો આ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ રહેશે. ઑક્ટોબરનો આ ગ્રહણ 4 કલાક 3 મીનિટનો રહેશે. તેની અસર લગભગ બધી જ રાશિઓ પર પડશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે તેથી તુલા રાશિના જાતકોને આ ગ્રહણની અસર સૌથી વધુ જોવા મળશે.
1.તુલા
તુલા રાશિમાં જ સૂર્યગ્રહણ લાગવાનો છે તેથી આ રાશિના જાતકો પર સૌથી વધુ અસર પડશે. આ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન આર્થિક નુક્સાન થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.
2.વૃષભ
વૃષભ રાશિના જાતકોએ પોતાની સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન ખાવા-પીવાને લઇને સાવધાન રાખવી અનિવાર્ય છે. સાથે જ તમને કોઇ વાતની ચિંતા હેરાન કરી શકે છે. જે વાતથી તમે ચિંતિત હોવ તે વાત કોઇ સાથે ન કરવાની સલાહ છે.
3.મિથુન
મિથુન રાશિના લોકો પોતાના બજેટનું ખાસ ધ્યાન રાખવું. આ સમયગાળા દરમિયાન જાતકોને ખર્ચામાં વધારો જોવા મળશે અને કમાણી ઓછી હશે. આ સિવાય કામ કરવામાં તમને ખુબ સમય લાગશે અથવા મહેનત લાગશે. જીવનસાથીનાં સંબંધોમાં થોડી ખટાસ આવી શકે છે.
4.કન્યા
કન્યા રાશિનાં લોકોને આ સમયે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમયે ક્યાંક રોકાણ કરતાં પહેલાં કોઇ વિશેષજ્ઞ પાસેથી માહિતી લેવી જોઇએ. આ સાથે જ તમામ કામ કરવાથી પહેલા એક બજેટ તૈયાર કરી લેવું.
5. વૃષિક
સૂર્યગ્રહણ વૃષિક જાતકોની આર્થિક પરિસ્થિતીઓ પર અસર કરી શકે છે. આ સમયે ધનનો વ્યય થવાની સંભાવના જોવા મળી રહી છે. તેથી તમને તમારા ખર્ચા પર કંટ્રોલ કરવાની જરૂર છે.
6. મકર
મકર રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર આ સૂર્યગ્રહણની અસર સૌથી વધુ જોવા મળશે. આ દરમિયાન તમે બિમાર રહેશો અને કોઇ વાતને લઇને તમારા મનમાં ભય ઉત્પન્ન થઇ શકે છે. તો આ સમયે તમે ધૈર્યવાન રહો તેવી સલાહ છે.
ઉપાય:
આ સમયે ઘઉં, ગોળ, મસૂર અને તાંબાનું દાન કરવું શુભકારી છે. તે સિવાય તમે આદિત્યહ્દય સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો અને પોતાના ગુરૂમંત્રનો જાપ પણ કરી શકો છો.