24 કલાકમાં મહારાષ્ટ્રની રાજનૈતિક તસવીર બદલાઈ ગઈ. કાલે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે આ પદ સંભાળવા જઈ રહ્યા છે. એનસીપીને છોડીને ભાજપ સાથે ગયેલાં અજીત પવાર ફરી શરદ પવારની છાવણીમાં જોડાયા. આવામાં એનસીપી નેતા સુપ્રિયા સુલે એ તેમનું સ્વાગત કર્યું છે. સુપ્રીયાનું કહેવું છે કે નાની-મોટી તકલીફો ચાલતી રહે. બુધવાર સવારે અજીત પવાર પણ વિધાનસભા પહોંચ્યા, જ્યાં સુપ્રિયા સુલેએ ગળે મળીને અજીત પવારનું સ્વાગત કર્યું.
જ્યારે અજિત વિધાનસભા પહોંચ્યા સુપ્રીયા ભેટી પડી
અજિત પવાર પરત ફરતાં સુપ્રિયાએ કહ્યું - આ તેમનું ઘર છે
સુપ્રિયા સુલે એ કહ્યું, ' જિંદગીમાં ક્યારેક સારા દિવસ હોય છે, તો ક્યારેક ખરાબ.. નાની-મોટી તકલીફો ચાલતી રહે છે, આમાં સ્વાગત કરવા જેવી કોઈ વાત નથી.'
સુપ્રિયાએ ગળે મળીને અજીત પવારનું સ્વાગત કર્યું
કોંગ્રેસ-એનસીપી અને શિવસેના એક સાથે આવતા સુપ્રિયા સુલેએ કહ્યું કે બધા જ તેમના એજન્ડા પર આગળ વધી રહ્યા છે. કોઈ મુશ્કેલી ન આવે તે માટે CMP બનાવ્યું છે જેના આધારે બધા આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન સુશાસન પર રહેશે.
Mumbai: NCP leaders Ajit Pawar & Supriya Sule arrive at the assembly, ahead of the first session of the new assembly today. Oath will be administered to the MLAs in the assembly today. #Maharashtrapic.twitter.com/lyGtcCunif
શનિવારે, જ્યારે અજિત પવારે પાર્ટી બદલતી વખતે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા ત્યારે બધા ચોંકી ગયા હતા. બીજેપી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે અજીત પવારની સાથે એનસીપીના કેટલાક વિધાયકો છે અને તેમની પાસે બહુમત છે. પરંતુ મગળવારે સંપૂર્ણ ગેમ પલટાઈ ગઈ અને અજીત પવારે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપ્યું.
તે પછી દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. મોડી સાંજે અજિત પવારે પોતાના કાકા અને એનસીપીના પ્રમુખ શરદ સાથે મુલાકાત કરી, ત્યાં સુપ્રિયા સુલે પણ હાજર હતા. એનસીપી નેતાઓ તરફથી વારંવાર અજીત પવારને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં ઘણી વખત તેમની સાથે મુલાકાત કરવામાં આવતી હતી.