બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Parth
Last Updated: 12:08 PM, 26 February 2021
સુબ્રમણ્યમ સ્વામી આવ્યા મેદાનમાં
ગુજરાતના અમદાવાદમાં આવેલ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના નામ બદલવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઘણા બધા નેતા અને લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડિયમનું નામ બદલવું એ સરદાર વલ્લભ ભાઈ પટેલનું અપમાન છે. જોકે સરકારના મંત્રીઓ એવો તર્ક આપી રહ્યા છે કે આખા સ્પોર્ટ્સ પરિસરનું નામ સરદાર પટેલના નામ પરથી જ રાખવામાં આવ્યું છે અને માત્ર સ્ટેડિયમનું નામ જ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે.
So someone lied when he/she /it stated that the Modi Stadium was originally named Motera? Not Sardar Patel?
— Subramanian Swamy (@Swamy39) February 26, 2021
સ્વામી પીએમ મોદીનું જ ભાષણ લઈ આવ્યા
An extract of President Trump’s speech on Modi’s briefing: pic.twitter.com/l1FSir8AxH
— Subramanian Swamy (@Swamy39) February 26, 2021
એક તરફ જ્યાં સરકાર વિપક્ષના હુમલાઓનો જવાબ આપી રહી છે ત્યાં હવે ભાજપના જ દિગ્ગજ નેતાએ સરકારના આ નિર્ણય સામે આડકતરી રીતે હુમલાઑ કરી દીધા છે. છેલ્લા ઘણા સમયથી સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકારના ઘણા નિર્ણયો સામે નિવેદનો આપતા રહે છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને આજે તેમણે આજે સવારે પીએમ મોદીનું જ એક ભાષણ લઈ આવ્યા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાષણમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ લીધું હોય તે ભાષણનો ટુકડો સ્વામીએ ટ્વિટ કર્યો. તે બાદ સુબ્રમણ્યમ સ્વામીએ તે બાદ વધુ એક ટ્વિટ કર્યું અને કહ્યું કે તો કોણ હતું જે જુઠ્ઠું બોલ્યા કે મોદી સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું અને સરદાર પટેલ સ્ટેડિયમ ન હતું?
ગુજરાત સરકારને આપી આ સલાહ
As a son in law of Gujarat, many from the state have informed me of their agony over the removal of Sardar Patel's name from the Stadium. My suggestion is that Gujarat Government cuts its losses and say since Modi was not consulted in the name change therefore it is withdrawn.
— Subramanian Swamy (@Swamy39) February 26, 2021
સ્વામી અહિયાં જ ન રોકાયા આગળ તેમણે કહ્યું કે ગુજરાતના જમાઈ તરીકે રાજ્યમાંથી ઘણા બધા લોકોએ મારા પાસેતેમની પીડા વ્યક્ત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાત સરકારને સલાહ આપતા કહ્યું કે મારી ગુજરાત સરકારને સલાહ છે કે નામના પરિવર્તનમાં મોદીની સલાહ લેવામાં આવી ન હતી અને તે માટે નામ પાછું લેવામાં આવે છે તેવી જાહેરાત કરે.આ સિવાય એક યુઝરના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ અમદાવાદના નામને લઈને પણ સવાલ પૂછી નાખ્યો કે કર્ણાવતીનું શું થયું?
What about Karnavati?
— Subramanian Swamy (@Swamy39) February 26, 2021
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા