બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / ક્રિકેટને અલવિદા કહેવા જેને મન બનાવી દીધેલું, એ પ્લેયર આજે બન્યો IPLનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી
Last Updated: 11:43 AM, 17 December 2025
Prashant Veer: IPL 2026ના ઓક્શનમાં અચાનક એક નામ ચર્ચામાં આવી ગયું. આ એન આ નામ છે ઉત્તરપ્રદેશના 20 વર્ષના યુવા લેફ્ટ હેનડેડ સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરનું. જેને પહેલા લગભગ કોઈ જાણતું નહોતું. જેવી આ પ્લેયર પર બોલી શરૂ થઈ કે દરેક ફ્રેન્ચાઇઝીની નજર આ યુવા પ્લેયર પર અટકી ગઈ. જોત જોતાંમાં 5 ટીમ વચ્ચે આને લઈને જબરદસ્ત બોલી લાગવાની શરૂ થઈ અને આખરે CSKએ વીરને 14.2 કરોડ રૂપિયામાં ટમેની ટીમમાં લીધો. આ સાથે જ પ્રસાહન્ટ વીર IPL ના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બની ગયો. જો કે તેની અંહિયા સુધીની સફર બિલકુલ સરળ રહી નથી. ભારતના અન્ય પ્લેયરની જેમ તેને પણ લાંબા સંઘર્ષ માંથી પસાર થવું પડ્યું હતું.
ADVERTISEMENT
CSK fans, meet your new star: Prashant Veer! 💛
— CREX (@Crex_live) December 16, 2025
Uncapped leftie all-rounder snapped up for ₹14.2 cr — maybe the next Jaddu? 👀#IPL2026Auction pic.twitter.com/ttw1W6eRxN
પ્રશાંતના નાનપણના કોચ રાજીવ ગોયલે ખુલાસો કર્યો છે કે વર્ષ 2020 માં પ્રશાંત ક્રિકેટ છોડવાનું મન બનાવી ચૂક્યો હતો. એ જ વર્ષે તેના દાદાજીનું અવસાન થઈ ગયું હતું જે તેમના પરિવારની આવકનો એક માત્ર સહારો હતા. LIC થી આવતી તેના દાદાના પેન્શન પર પ્રશાંતનો ક્રિકેટનો ખર્ચો નીકળતો હતો. તેના પિતા ઉત્તરપ્રદેશ અમેઠીમાં સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને તેના પરિવારના 5 મેમ્બરનો ખર્ચ ઉઠાવવો તેમના માટે ઘણો મુશ્કેલ હતો.
ADVERTISEMENT

કોચ રાજીવ ગોયલે જણાવ્યું કે વર્ષ 2020 માં પ્રશાંતના પરિવારની હાલત ખૂબ કઠિન હોવાને લીધે તેણે ક્રિકેટને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. એ વખતે કોચે પ્રશાંતની જરૂરનું ધ્યાન રાખ્યું એટલું જ અહી પણ તેને સતત ટ્રેનિંગ આપીને તેને આગળ વધવા માટે પણ પ્રેરણા આપી.
ADVERTISEMENT
Inspired by legends, Prashant Veer is now writing his own story. With a record ₹14.2 Cr buy by CSK, the future looks bright for this young superstar.#TATAIPLAuction 2026 | LIVE NOW 👉 https://t.co/NZ92stKxPU pic.twitter.com/1SPdzFIq6a
— Star Sports (@StarSportsIndia) December 16, 2025
ADVERTISEMENT
આ વિશે પ્રશાંત વીરે પોતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેના કોચ રાજીવ ગોયલે મુશ્કિલ સમયમાં તેની આર્થિક અને માનસિક બંને રીતે સહાય કરી. પ્રશાંતે કહ્યું કે તેના જીવનમાં ઘણી ચેલેન્જ હતી પણ તેના પરિવારે હંમેશા તેના સપના અને ક્રિકેટને પ્રાથમિકતા આપી. દાદાના અવસાન પછી રાજીવ ગોયલ સર અને તેમના જેવા લોકોએ તેને આર્થિક અને માનસિક રીતે સાંભળ્યો. તે પોતાને ભાગ્યશાળી માને છે કે તેને આવા લોકો મળ્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
હોમ ક્રિકેટમાં પ્રશાંત વીરે તેની બેટિંગ અને બોલિંગથી ફ્રેનચાઈઝીનું ધ્યાન ખેંચ્યું હતું. UP T20 લીગમાં તેણે નોએડા કિંગ્સની કેપ્ટનશિપ સાંભળી હતી અને 10 મેચમાં 155.34ના સ્ટ્રાઈક રેટથી 320 રન બનાવ્યા હતા અને સાથે 8 વિકેટ પણ લીધી હતી. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ આ ફોર્મ જાળવી રાખ્યું હતું. તેણે 169.69 ના સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા હતા અને 6.76ની ઈકોનોમી રેટથી 9 વિકેટ લીધી હતી. સંઘર્ષ, સમર્થન અને શાનદાર પ્રદર્શન આ ત્રણેય મળીને પ્રશાંત વીરને IPL 2026 ના ઓક્શનનો સૌથી મોટો ચહેરો બનાવી દીધો હતો, હવે બધાની નજર ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરીને આ યુવા સ્ટાર તેના સપનાને કેવી રીતે ચેઝ કરે છે તે જોવા પર હશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.