બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: પાકિસ્તાનનું નાક કાપ્યું! કેપ્ટન સૂર્યકુમાર યાદવે શબ્દોના ગોળા છોડ્યા, દિલ પર ઘા કર્યો
Last Updated: 10:47 AM, 22 September 2025
IND vs PAK Asia Cup 2025: રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2025ની સુપર ફોર મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ, જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું. એશિયા કપ 2025માં ભારતે બીજી વાર પાકિસ્તાન સામે જીત મેળવી. અગાઉ ગ્રુપ સ્ટેજની 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હટાવ્યું હતું. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે આ ભારતની આ 12ની જીત રહી. અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 T20 મેચ રમાઈ છે. જેમાંથી 12 મેચમાં ભારતની જીત થઈ છે, જ્યારે પાકિસ્તાનને માત્ર 3 મેચમાં જ જીત મળી છે.
ADVERTISEMENT
કેપ્ટન સૂર્યાએ ધોઈ નાખ્યા
ADVERTISEMENT
ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પોતાના શબ્દોથી પાકિસ્તાનને ખરાબ રીતે ધોઈ નાખ્યું. ભારત સામેની શરમજનક હાર બાદ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે મોઢું બતાવવાને લાયક પણ નથી રહી. જીત પછીની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાઇવલરીના સવાલ પર જોરદાર જવાબ આપ્યો છે, જેનાથી પાકિસ્તાનને ભારે મરચાં લાગ્યા હશે. સુર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને આગ્રહ કર્યો કે હવે તમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાઇવલરીને લઈને સવાલો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ.
𝗔 𝗰𝗹𝗶𝗻𝗶𝗰𝗮𝗹 𝘄𝗶𝗻 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝗴 𝗶𝗻 #𝗦𝘂𝗽𝗲𝗿𝟰! 🙌#TeamIndia continue their winning run in the #AsiaCup2025! 👏 👏
— BCCI (@BCCI) September 21, 2025
Scoreboard ▶️ https://t.co/CNzDX2HKll pic.twitter.com/mdQrfgFdRS
ADVERTISEMENT
પાકિસ્તાન પર કર્યો શાબ્દિક પ્રહાર
સૂર્યકુમાર યાદવે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાઇવલરીને લઈને કહ્યું,
ADVERTISEMENT
'હવે તમારે લોકો (પત્રકારો)એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાઇવલરી વિશે સવાલો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ. મારા હિસાબથી જો બે ટીમો 15-20 મેચ રમે છે અને સ્કોર બરાબર રહે, તો તે રાઇવલરી છે. 10-0, 10-1, મને નથી ખબર કે આંકડા શું છે, પરંતુ હવે તે રાઇવલરી નથી રહી. મને લાગે છે કે અમે તેમના (પાકિસ્તાન) કરતા વધુ સારી ક્રિકેટ રમ્યા, અને બોલિંગના દૃષ્ટિકોણથી પણ.'
સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતના પ્રભાવશાળી રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો, જે હવે 12-3 પર છે.
ADVERTISEMENT

ભારતની ફિલ્ડિંગ પર કેપ્ટનનું મોટું નિવેદન
ADVERTISEMENT
ભારતે પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન કેટલાક ફિલ્ડિંગ પડકારોનો સામનો કરવો પડ્યો, શરૂઆતમાં ઘણા કેચ પણ છૂટી ગયા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ ભૂલો પર મજાક ઉડાવતા કહ્યું,
"મને લાગે છે કે ફિલ્ડિંગ કોચે એવા ખેલાડીઓને પહેલાથી જ ઇમેઇલ કરી દીધા છે જેમના હાથ પર માખણ લાગ્યું હતું. એ સારું છે કે આ શરૂઆતમાં થયું, કારણ કે આગળ અમારી પાસે વધુ મહત્ત્વપૂર્ણ મેચો છે."
સૂર્યકુમાર યાદવે એ વાતને પણ ફગાવી દીધી કે ફ્લડલાઇટ્સને દોષ આપવામાં આવે. તેમણે કહ્યું, "ફ્લડલાઇટ્સ કોઈ બહાનું ન હોઈ શકે."
આ પણ વાંચો: રઉફ-અભિષેક વચ્ચે ચાલુ મેચે શું થયું? શર્માજીએ બોલાચાલીનું કારણ જણાવ્યું, કહેશો બરોબર કર્યું
ભારતે પાકિસ્તાનનો 172 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં છ વિકેટ બાકી રહીને હાંસલ કરી લીધો. ભારતના ધારદાર બેટ્સમેન અભિષેક શર્માએ રન ચેઝમાં મુખ્ય ભૂમિકા ભજવી, 39 બોલમાં 74 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક શર્માની પ્રશંસા કરતા કહ્યું,
"તે ખૂબ જ નિઃસ્વાર્થ છે. પાવરપ્લે પછી પણ તે એ જ રીતે બેટિંગ કરી શકે છે. તે દરરોજ શીખી રહ્યો છે. બેટિંગના દૃષ્ટિકોણથી વિકેટ સારી હતી."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.