બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / પહેલગામ હુમલા બાદ IPL મેચોમાં થશે 4 મોટા ફેરફારો, BCCIએ ચીયરલીડર્સ અંગે પણ જાહેર કરી સૂચનાઓ

ક્રિકેટ / પહેલગામ હુમલા બાદ IPL મેચોમાં થશે 4 મોટા ફેરફારો, BCCIએ ચીયરલીડર્સ અંગે પણ જાહેર કરી સૂચનાઓ

Last Updated: 12:39 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Attack IPL 2025 SRH vs MI Match: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બુધવારે (23 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં 4 ફેરફારો જોવા મળશે. ચીયરલીડર્સ અંગે પણ એક મોટો ફેરફાર થયો છે.

Pahalgam Attack IPL 2025 SRH vs MI Match: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બુધવારે (23 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં 4 ફેરફારો જોવા મળશે. ચીયરલીડર્સ અંગે પણ એક મોટો ફેરફાર થયો છે.

Pahalgam Attack impact on IPL 2025 SRH vs MI Match: પહેલગામ હુમલાની આઇપીએલ 2025 SRH vs MI મેચ પર અસર જોવા મળશે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલ 2025 ની મેચમાં કેટલાક ફેરફારો જોવા મળશે. ખરેખર આ બધા ફેરફારો પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યા છે.

મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરસે, જ્યારે મેચ શરૂ થતાં પહેલાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવશે. એટલું જ નહીં, આ મેચ માટે મેદાન પર કોઈ ચીયરલીડર્સ નહીં હોય.

મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરસે, જ્યારે મેચ શરૂ થતાં પહેલાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવશે. એટલું જ નહીં, આ મેચ માટે મેદાન પર કોઈ ચીયરલીડર્સ નહીં હોય.

ધ્યાનમાં રાખો કે બુધવારે (23 એપ્રિલ) ઇન્ડિયન પ્રીમિયર લીગની 41મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં સળંગ હારનો સામનો કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેમના હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વાપસી કરવાની આશા રાખશે.

આ મેચ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌપ્રથમ અમ્પાયરો અને ખેલાડીઓ આઇપીએલ મેચો દરમિયાન કાળી પટ્ટી પહેરીને હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે.

મંગળવારે (22 એપ્રિલ) થયેલા આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને બુધવારે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન અસરગ્રસ્તોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

મંગળવારે (22 એપ્રિલ) થયેલા આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને બુધવારે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન અસરગ્રસ્તોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

બીજો બદલાવ એ છે કે મેચ શરૂ થાય તે પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. ત્રીજી વાત એ છે કે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે મેદાન પર કોઈ ચીયરલીડર્સ નહીં હોય. ચોથો બદલાવ જોઇએ આ મેચમાં કોઈ ફટાકડા નહીં ફોડવામાં આવે. એકંદરે બધા સરળતા નિયમોનું પાલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ IPL 2025 / દિલ્હી કેપિટલ્સે લખનૌને 8 વિકેટથી હરાવ્યું, રાહુલ અને અભિષેક પોરેલની અડધી સદી

પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો ભાગ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલાની દુનિયાભરમાં સખત નિંદા કરવામાં આવી છે.

2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો તોડી નાખ્યા હતા. ભારતીય ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને દુબઈમાં તટસ્થ સ્થળ આપવાની ફરજ પડી હતી.

SRH vs MI હેડ ટૂ હેડ

SRH vs MI હેડ ટૂ હેડ

સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી સાતમાંથી ફક્ત બે મેચ જીતી શક્યું છે. સનરાઇઝર્સ ટીમ નવમા ક્રમે છે. જ્યારે મુંબઈની ટીમે 8 માંથી 4 મેચ જીતી છે અને છઠ્ઠા સ્થાને છે. અત્યાર સુધી રમાયેલી 24 IPL મેચોમાંથી, SRH એ 10 જીત્યા છે જ્યારે MI એ 14 જીત્યું છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack IPL 2025 SRH vs MI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ