બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:25 PM, 26 July 2025
ભારતદેશના લોકોને ક્રિકેટને ખુબજ ગમે છે. ભાગ્યે જ ક્રિકેટને જેટલો પ્રેમ મળ્યો છે તેવો પ્રેમ અન્ય કોઈ રમત ને મળ્યો હશે. તો ક્રિકેટ પ્રેમી એશિયા કપની રાહ જોઈ રહ્યા છે. કારણ કે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. BCCI એ ઢાકામાં ACC મીટિંગમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. એશિયા કપ ટુર્નામેન્ટની તારીખો હવે જાહેર થઈ ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવીએ એક મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT

મોહસીન નકવીના જણાવ્યા મુજબ, ઇવેન્ટનું શેડ્યૂલ તૈયાર કરી લેવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેમણે કહ્યું કે અમને શાનદાર ક્રિકેટની અપેક્ષા છે અને સંપૂર્ણ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મોહસીન નકવીએ એમ પણ કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન યુએઈમાં કરવામાં આવશે. તેમણે ટુર્નામેન્ટની તારીખો જાહેર કરતી વખતે ખુશી વ્યક્ત કરી. આ ટુર્નામેન્ટ ભારતના યજમાનીમાં યુએઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ ભારતમાં રમવા નહીં આવે, આ કારણે કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું.
ADVERTISEMENT

શું BCCI ને પાકિસ્તાન સામેનમતું મુકવું પડ્યું?
ADVERTISEMENT
મુખ્ય શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મૂકી શકાય છે. આ વાત આગામી 24 થી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે. BCCI એ ન્યુટ્રલ વેન્યુ સીલેક્ટ કર્યું છે, તેનું નુકસાન ભારતીય ચાહકોને થશે. જ્યારે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો, ત્યારે આ ઇવેન્ટ સંપૂર્ણપણે બહાર યોજાઈ ન હતી. કેટલીક મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ થયું. BCCI એ સમગ્ર ઇવેન્ટ ભારતની બહાર લઈ જવાના નિર્ણયને સ્વીકારી લીધો છે, આ પાકિસ્તાન સામે નમન કરવા જેવું છે.

ADVERTISEMENT
એશિયા કપમાં કેટલી ટીમો છે?
એશિયા કપમાં કુલ આઠ ટીમો રમવાની છે, આ ઇવેન્ટને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા તૈયારીની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવી રહી છે. ભારત અને શ્રીલંકા સાથે મળીને T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં આયોજિત થઈ રહ્યો છે. રોહિત અને કોહલી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, બંને રમતા જોવા મળશે નહીં.
ADVERTISEMENT
વધુમાં વાંચો: તમે ટપરી પર ચા નહીં ઝેર પીવો છો! એક કપમાં હજારો માઈક્રોપ્લાસ્ટિક કણ, સ્ટડીમાં ખુલાસો
ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી મેચ શક્ય છે?
ADVERTISEMENT
જો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોય અને આગળના તબક્કામાં પહોંચે, તો બે વાર ટક્કર થઈ શકે છે. સમગ્ર ઇવેન્ટને બહાર લઈ જવાને બદલે, BCCI એ ફક્ત પાકિસ્તાનની મેચો બહાર જ યોજવી પડી, શ્રીલંકા આદર્શ સ્થળ બની શક્યું હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.