બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'રોહિતની જેમ ગિલને પણ..', ગાંગુલીએ કેપ્ટન્સી પર આકરી ટીકા સાથે આપ્યું ચોંકાવનારુ નિવેદન
Sports News : ભારતીય ક્રિકેટમાં આજકાલ વનડે કેપ્ટનમાં ફેરફારની સતત ચર્ચા થઈ રહી છે. પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવે રોહિત શર્માને ODI ટીમના કેપ્ટનશીપમાંથી દૂર કરવાના કરવાના નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ADVERTISEMENT
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું હતું કે, 'બોર્ડે (BCCI) અને પસંદગીકારોએ રોહિત સાથે વાત કર્યા પછી આ નિર્ણય લીધો હશે. મને ખાતરી નથી કે આ કોઈ હકાલપટ્ટી છે કે નહીં. આ એક સામાન્ય ક્રિકેટ નિર્ણય છે જે દરેક ખેલાડીના કરિયરમાં આવે છે. રોહિત એક શાનદાર કેપ્ટન રહ્યો છે, જેણે ભારતને T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટમાં વિજેતા બનાવ્યું છે.'
ADVERTISEMENT

ADVERTISEMENT
ગાંગુલીએ આગળ કહ્યું, 'મારી અને દ્રવિડ સાથે પણ આવું થયું છે, દરેક સાથે આવું થાય છે. ગિલને પણ 40 વર્ષની ઉંમરે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સ્પોર્ટ્સમાં દરેક વ્યક્તિએ એક દિવસ નિવૃતી લેવી જ પડે છે. ગિલને પ્રમોટ કરવાનો નિર્ણય ખરાબ નથી. તેણે ઇંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા બતાવી છે, અને મને લાગે છે કે તે યોગ્ય નિર્ણય છે. રોહિત રમવાનું ચાલુ રાખી શકે છે.'
વધુ વાંચો : VIDEO : જાસ્મીન બાદ હવે કોણ છે Hardik ની રુમર્ડ ગર્લફ્રેન્ડ, કરવા ચોથ પર જ સાથે દેખાયા
ADVERTISEMENT
રોહિત શર્માને ડિસેમ્બર 2021માં વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હિટમેને 56 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ દરમ્યાન, ટીમ ઈન્ડિયાએ 42 મેચ જીતી અને ફક્ત 12 મેચ હારી છે. તેની કેપ્ટનશીપ હેઠળ એક મેચ ટાઈ રહી હતી, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. રોહિત પહેલાથી જ ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.