બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 AM, 23 September 2025
ભારતીય ટીમ એશિયા કપ 2025માં સતત જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે અને ખિતાબની દાવેદાર ગણાઈ રહી છે. પરંતુ આ દરમિયાન પંતને લઈને નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપમાંથી બહાર થયા પછી હવે ખબર આવી છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની આવનારી ટેસ્ટ સિરીઝમાં પણ રમી શકશે નહીં. જાણો શું છે કારણ?
ADVERTISEMENT
શા માટે બહાર થયા પંત?
હકીકતમાં પંત હજુ સુધી તેમના પગની ઈજામાંથી પુરી રીતે બહાર આવ્યા નથી. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથા ટેસ્ટમાં ક્રિસ વોક્સનો બોલ વાગવાથી તેમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જેના કારણે તેઓ એશિયા કપ રમી શક્યા ન હતાં. હાલ એક રિપોર્ટ મુજબ, 2 ઓક્ટોબરથી શરૂ થતી વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝ માટેની પસંદગીની રેસમાંથી પણ તેઓ બહાર થઈ ગયા છે.
ADVERTISEMENT
અજીત અગરકરની આગેવાની હેઠળ પસંદગી સમિતિ 24 સપ્ટેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરશે, પરંતુ એ પહેલાંથી જ સંકેત મળી રહ્યા છે કે પંતને ટીમમાં સ્થાન નહીં મળે. કારણ કે BCCIની મેડિકલ ટીમે તેમને હજી સુધી ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું નથી.
India will be without the flamboyant Rishabh Pant for the West Indies Tests starting October 2, after he suffered a fractured foot during the England tour in July
— ESPNcricinfo (@ESPNcricinfo) September 22, 2025
Read more: https://t.co/8ITVhvr2LT pic.twitter.com/51NmctP3kZ
ADVERTISEMENT
પ્રેક્ટિસ પણ નથી શરૂ કરી
હાલમાં પંત બેંગલોરની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં પોતાની ઈજાનું રિહેબિલિટેશન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ તેમણે હજી સુધી બેટિંગ કે વિકેટકીપિંગની પ્રેક્ટિસ શરૂ કરી નથી. એવામાં ટેસ્ટ સિરીઝ માટે તેમની તૈયારી અધૂરી રહી જશે.
ADVERTISEMENT
હવે નજર ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર
મોટો સવાલ એ છે કે રિષભ પંત ટીમ ઈન્ડિયામાં ક્યારે વાપસી કરશે? વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પછી ભારતને ઑસ્ટ્રેલિયા પ્રવાસ કરવો છે, જ્યાં વનડે અને T20 મેચ યોજાશે. આશા છે કે પંતને ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ફિટનેસ ક્લિયરન્સ મળી જશે. જો એવું બન્યું તો જ તેઓ ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'ફરહાને AK-47 ચલાવી તો ભારતે બ્રહ્મોસ મિસાઈલ છોડી...' પૂર્વ પાક ખેલાડીએ પોતાની ટીમની જ ઉડાવી મજાક
ટીમ માટે પંતની અગત્યતા
ADVERTISEMENT
27 વર્ષના રિષભ પંત માત્ર ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન જ નથી, પરંતુ તેમની બેટિંગ અને વિકેટકીપિંગ બંને ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટને વિકેટકીપિંગ માટે કે.એલ. રાહુલ અથવા સંજુ સેમસન જેવા વિકલ્પો પર વિચારવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.